આજે દેશમાં પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે દિલ્હી સ્થિત પોલીસ સ્મારક પર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલી આવી અને પરેડને સંબોધિત કરી હતી. શાહે પોતાના સંબોધનમાં કહ્યુંકે પોલીસવાળાઓએ દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યું છે. તેમના બલિદાનના કારણે આજે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.
દેશ તહેવાર મનાવે છે ત્યારે પોલીસકર્મી ડ્યૂટી પર રહે છે
અમિત શાહનું કહેવું જ્યારે દેશ પોતાના તહેવાર મનાવે છે ત્યારે પોલીસકર્મી ડ્યૂટી પર રહે છે. અમિત શાહે જણાવ્યું કે આ વર્ષે 260 પોલીસકર્મીઓ શહીદ થયા છે. આજે સ્મારકના માધ્યમથી નવી પેઢીને તેમના બલિદાન વિશે જાણકારી મળી રહી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે લોકડાઉનના અમલીકરણમાં પોલીસની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. કોરોનાના કારણે 343 પોલીસકર્મીઓના મોત થયા છે.
શાહે કહ્યું કે પોલીસ માટે પડકારો વધી રહ્યા છે. આતંકવાદ, મહિલાઓ વિરુદ્ધના ગુના, ડ્રગ્સ, ફેક કરન્સી જેવા અનેક પડકારો છે. જ શાહે કહ્યું કે 12માં ધોરણ પછી વિધ્યાર્થીઓને સુરક્ષા અંગે માહિતગાર કરાશે.
અમિત શાહે કહ્યું કે તમે દેશ સંભાળો, સરકાર તમારા પરિવારની રક્ષા કરશે. જલ્દી પોલીસ ક્ષેત્રમાં અનેક ફેરફાર કરવામાં આવશે. જે તમામ ફોર્સ માટે ફાયદાકારક રહેશે.
Police Commemoration Day is about expressing gratitude to our police personnel and their families all across India. We pay tributes to all the police personnel martyred in the line of duty. Their sacrifice and service would always be remembered. pic.twitter.com/69gkT1yH24
પીએમ નરેન્દ્ર મોદીઓ ટ્વીટ કરી પોલીસ જવાનોને સલામ કરી. લખ્યુ કે પોલીસકર્મી અને તેમના પરિવારજનોને સલામ કરવાનો દિવસ છે. અમે તમામ શહીદને નમન કરીએ છીએ. પોલીસકર્મી હંમેશા લો એન્ડ ઓર્ડર બનાવવા અને દેશવાસીઓની સેવામાં જોડાયેલા રહે છે. કોરોનામાં પણ તેમણે આમ જ કર્યુ છે.