રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે અલવરમાં ગૌરક્ષકોના માર મારવાથી મૃત્યું પામનાર પહેલૂ ખાન વિરુદ્ધ ચાર્જશીટ અંગે દોષનો ટોપલો ભાજપના માથે ઢોળ્યો છે. સાથે જ આશ્વાસન આપ્યું છે કે, જો મામલાની તપાસમાં કોઇ ગરબડી જોવા મળે છે તો તેની ફેર તપાસ કરવામાં આવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે પહલૂ ખાન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાને લઇને રાજ્યની કોંગ્રેસ સરકાર ઘેરાઇ ગઇ છે.
આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે પહલૂ ખાન કેસની તપાસ ગત બીજેપી સરકાર દરમિયાન કરવામાં આવી હતી. આ મામલાની ચાર્જશીટ પણ બીજેપી સરકાર દરમિયાન રજૂ કરવામાં આવી હતી. જો આ તપાસમાં કોઇપણ પ્રકારની ખામી જોવા મળે છે, તો આ મામલે તપાસ ફરી કરવામાં આવશે.
Rajasthan CM Ashok Gehlot on Rajasthan Police files chargesheet against Pehlu Khan: Investigation of this case was done in the past during BJP government & chargesheet was presented. If any discrepancies will be found in the investigation, case will be re-investigated. pic.twitter.com/fdn5jWJErc
આપને જણાવીએ કે, રાજસ્થાન પોલીસે કથિત ગૌરક્ષકો દ્વારા માર મારતા મૃત્યું પામનાર પહલૂ ખાન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અને ગૌ તસ્કરીનો આરોપ લગાવ્યો છે. પોલીસે પહલૂ ખાનને રાજસ્થાન બોવાઇન એનિમલ (પ્રોહિબિશન ઓફ સ્લૉટર એન્ડ રેગુલેશન ઓફ ટેમ્પરેરી માઇગ્રેશન એક્સપોર્ટ) એક્ટ-1995ની ધારા 5, 8 અને 9 હેઠળ આરોપી બતાવાયો છે.
મૃતક પહલૂ ખાનને પોલીસે એવા સમયે આરોપી બનાવ્યો છે, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. પહલૂ ખાની લગભગ બે વર્ષ પહેલા 2017માં રાજસ્થાનના અલવરમાં કથિત ગૌરક્ષકોએ માર મારીને હત્યા કરી હતી. એ સમયે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી.
શું છે મામલો
રાજસ્થાન સરકારના પહલૂ ખાન અને તેના બે પુત્ર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઇ છે. પહલૂ ખાનની એક એપ્રિલ 2017ના રોજ કેટલાક કથિત ગૌરક્ષકોએ માર માર્યો હતો. જે બાદ 3 દિવસ બાદ તેનું મૃત્યું થઇ ગયું હતું. પોલીસે આ મામલે બે એફઆઇઆર દાખલ કરી હતી. એક એફઆઇઆર પહેલૂ ખાનની હત્યાને મામલે 8 લોકો વિરુદ્ધ અને બીજી એફઆરઆઇ પહલૂ ખાન અને તેના પરિવાર વિરુદ્ધ થઇ હતી. બીજા મામલામાં પહલૂ ખાન અને તેના બે પુત્ર વિરુદ્ધ હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આ મામલામાં 8 લોકને જામીન મળી ચૂક્યા છે. મૃતક પહલૂ ખાનના પૂત્ર ઇરશાદ ખાને એપ્રિલ 2017માં એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું મારા પિતા સાથે હતો. તે તમામ એક બીજાને નામ લઇને બોલાવતા હતા. પહેલા એમણે અને રોક્યા પછી મારવા લાગ્યા. અમે તેમને કાગળ બતાવ્યા (જેથી જણાવી શકીએ કે અમે તસ્કર નથી) પરંતુ એમણે કાગળ ફાડી નાંખ્યા અને મારવાનું શરુ કરવા લાગ્યા. એમણે અમારી સામે મારા પિતાને મારી નાંખ્યા હવે હું પણ જીવિત રહેવા માંગતો નથી'.
ઓવૈસીએ શું કહ્યું
બીજી તરફ હૈદરાબાદના સાંસદ અને એઆઇએમઆઇએમ ચીફ અસદ્દુદીન ઓવૈસીએ પહલૂ ખાન વિરુદ્ધ દાખલ ચાર્જશીટ પર પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું કે, 'સત્તામાં કોંગ્રેસ બીજેપી જેવી બની જાય છે. રાજસ્થાનના મુસલમાનોએ આ વાત સમજવી જોઇએ. અને એ લોકો, સંસ્થાઓનો વિરોધ કરવો જોઇએ કે જે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરે છે અને પોતાના રાજનૈતિક પ્લેટફોર્મ વિકસિત કરવાની કોશિશ શરૂ કરી દેવી જોઇએ. 70 વર્ષ ખુબ જ હોય છે હવે મહેરબાની કરી બદલાવ લાવો.