વહેલી સવારે ઈસનપુર મહાદેવના મંદિરની સામે આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળતા સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો
અમદાવાદના ઇસનપુરમાંથી પશુના અંગો મળવાનો મામલો
પોલીસે આરોપી ફેઝાન શેખની કરી ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.પી.ચુડાસમાનું નિવેદન
રખિયાલથી એક્ટિવા સાથે આરોપી ઝડપાયો
અમદાવાદના ઈસનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી રોડ ઉપર આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળે રસ્તા પર ઉતરી હિંદુ સંગઠનોએ ઈસનપુરમાં બંધનું એલાન આપ્યું છે. જાહેર રસ્તા પર આ રીતે ખુલ્લેઆમ ગાયનો મૃતદેહ જોવા મળતા હિંદુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આરોપી ફેઝાન શેખની ધરપકડ
સમગ્ર મામલે પોલીસ કઈ પણ અનિચ્છનિય ઘટના ઘટે તે પહેલા પોલીસે આરોપી ફેઝાન શેખની ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.પી.ચુડાસમાએ નિવેદન આપતા કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. રખિયાલથી એક્ટિવા સાથે આરોપી ભાગી રહ્યો હતો જેણે દબોચી લેવામાં આવ્યો છે. ફેઝાન બીફ જથ્થામાં લઇને છૂટક વેચતો હતો. FSLની મદદ લઇને અવશેષ અંગે તપાસ કરવામાં આવશે. હાલ આરોપી કયાથી બીફ લાવ્યો અને કોણે કોણે વેચ્યું તેની વધુ પૂછપરછ ચાલી રહી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.
આ મામલે CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરાઇ
જો કે, આ મામલે પોલીસ અધિકારીનું કહેવું છે કે, 'આ મામલે પોલીસને બાતમી મળી હતી કે ગોવિંદવાડીથી ઇસનપુર જતા રસ્તા પર કોઇ પશુના અંગો ફેંકીને ફરાર થઇ ગયું છે. આ બાબતની જાણ થતા તુરંત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જગ્યા પર પડેલા અંગોને પોલીસે તપાસ અર્થે કબજે લીધા. સ્થાનિક જગ્યાનું પંચનામું કર્યું તેમજ સમગ્ર જગ્યાને પોલીસે સીઝ કરી દીધી છે. તેમજ CCTV ફૂટેજ મેળવવાની પણ હાલ તજવીજ હાથ ધરાઇ હતી જેમાં એક ઈસમની ઓળખ થતાં તાત્કાલિકના ઘોરણે તેની અટકાયત કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો
ઘટનાને લઇને કોઇ અણબનાવ ના બને એ માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો હતો. આ મામલે હિંદુ સંગઠનોની એવી માંગ છે કે, 'જે ગૌમાંસ લઇ જવામાં આવે છે તેને સંપૂર્ણ બંધ કરવામાં આવે. આ ઘટનાને લઇને પોલીસ તાત્કાલિક એક્શન લે અને જે-તે જવાબદાર લોકોની ધરપકડ કરે. હાલમાં ગાયના મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, આ જે અંશ મળી આવ્યા છે તે ખરેખર શું ગાયના જ છે કે પછી અન્ય કોઇ પશુના છે તેને લઇને તપાસ કરવામાં આવી રહી છે. ગાયના મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ
તમને જણાવી દઇએ કે, હાલ શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે અને એમાંય મહાદેવના મંદિરની સામે જ્યારે આ રીતે મૃતદેહ મળી આવે ત્યારે સ્વાભાવિક છે કે આ એક ગંભીર ઘટના કહી શકાય. કારણ કે આ ઘટનાને લઇને કોમી હિંસા ફાટી નીકળે તેવી સ્થિતિ પણ સર્જાઇ જતી હોય છે. આથી, વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી એક્શનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.