લગ્ન વખતે વિઘ્ન ન નડે તેના માટે ભગવાન ગણેશની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે પરંતુ આ વરરાજાને તો ભગવાન પણ ન બચાવી શક્યાં. ઘોડી ચડતા પહેલા જ પોલીસે જેલના સળિયા ગણતો કરી દીધો હતો.
વરરાજા મંડપની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં
જાન લઇને જતા વરરાજાને કેમ પોલીસે પકડ્યો?
વરરાજા અને તેના પિતા પર છેતરપિંડીનો આરોપ
કાલકાગઢીમાં રવીવારે જાન જોડીને જવાની તૈયારી કરતા એક પિતા પુત્રને સિહાની ગેટ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વરરાજા અને તેના પિતા પર આરોપ છે કે એક જગ્યાએ તેણે લગ્ન નક્કી કર્યા અને હવે બીજી જગ્યાએ જાન જોડીને જઇ રહ્યાં હતા. ધોડે ચડે તે પહેલા જ પહેલી છોકરીના પિતાએ લગ્ન રોકાવી દીધા હતા.
સિહાનીગેટ પોલીસ અધિકારી કૃષ્ણ ગોપાલ શર્માએ કહ્યું કે, આ યુવકના લગ્ન ગયા વર્ષે બુલંદશહેરમાં રહેતી એક યુવતી સાથે નક્કી થયા હતા. કાર્યક્રમ અનુસાર અહીથી જાન બુલંદ શહેર પહોંચી ગઇ પરંતુ પ્રશાસનને જાણ થઇ કે જે યુવતીના લગ્ન થવા જઇ રહ્યાં છે તે સગીરા છે. બાદમાં તેવું નક્કી થયુ હતુ કે છોકરીની ઉંમર 18 વર્ષથી ઉપરની થઇ જશે ત્યારે લગ્ન કરવામાં આવશે પરંતુ વરરાજાએ તે છોકરીને જાણ કર્યા વગર બીજી જગ્યાએ લગ્ન નક્કી કરી દીધા હતા.
રવીવારે જાન નીકળવાની તૈયારી થઇ રહી હતી તે વચ્ચે જ સૂચના મળવા પર ગાઝીયાબાદ પહોંચેલા પહેલી યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. જે બાદ વરરાજા અને તેના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જો તેમની વાતચીત સફળ નહી રહે તો છોકરીના પિતાની ફરિયાદ પર વરરાજા અને તેના પિતા પર કાર્યવાહી કરવામાં આવશે.