સુરતના ઉધનામાં BRTS બસની અડફેટે એક બાળક સહિત બે વ્યક્તિનાં મોત થયા હતા. ત્યારે ઉધના પોલીસે આ મામલે બસ ડ્રાઈવર સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કરીને ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે. જ્યારે અકસ્માત સર્જાયો તો સ્થાનિકો દ્વારા BRTS બસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે 40થી વધુ લોકો સામે પણ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં એક બાળકનું મોત થયુ હતુ. જ્યારે એક મહિલા અને એક યુવકને ગંભીર ઈજા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વેઅચ રોડ વનમાળી જંકશન નજીક બીઆરટીએસની અડફેટે રાહદારીનું મોત નિપજ્યું હતું. જેમાં રોડ ક્રોસ કરવા જઇ રહેલા રાહદારીને બીઆરટીસે ટક્કર મારતા મોત થયું હતું.
જ્યારે તેની પહેલા શહેરના વેસુ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં સીટી બસના ચાલકે ગોજારા અકસ્માતમાં એક કિશોર રસ્તો ઓળંગવા જઇ રહ્યો હતો ત્યારે અડફેટે લેતા કિશોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે BRTS રૂટ પર વારંવાર અમદાવાદ હોય કે સુરત કે પછી રાજકોટ ડ્રાઇવરોના બેફામ ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. ત્યારે આ અકસ્માતને લઇને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
#Surat ના ઉધનામાં BRTS અકસ્માતનો મામલો #accident કરનારા #Driver સામે મનુષ્ય વધનો ગુનો દાખલ પોલીસે ડ્રાઇવરની કરી ધરપકડ બસ પર પથ્થરમારો કરનારા 40થી વધુ લોકો સામે પણ ગુનો દાખલ અકસ્માતમાં બાળકી સહિત બે લોકોના થયા હતા મોત. pic.twitter.com/o7TpvZhNfM