નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બાળકોના શોષણને લઈ અટકાયત કરાઇ છે. પોલીસ બાળ શોષણ મામલે ખુલાસો કરશે. પોલીસે પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી હતી.
આશ્રમમાં બાળકોની સુરક્ષા મામલે તંત્ર જાગ્યુ
આશ્રમ અને સંસ્થાએ રાજ્ય સરકાર પાસેથી લેવી પડશે પરવાનગી
નિત્યાનંદ આશ્રમને માફ નહીં કરાય
શું કહ્યુ જિલ્લા કલેક્ટરે
નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બાળકોના શોષણને લઈ અટકાયત કરાઇ છે. પોલીસ બાળ શોષણ મામલે ખુલાસો કરશે. પોલીસ દ્વારા પ્રાણપ્રિયાની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્ય સરકારનું સર્ટિફિકેટ લેવું પડશે.
સંસ્થા કે આશ્રમોએ રાજ્ય સરકારનું સર્ટિફિકેટ મેળવવું પડશે. બાળ સુરક્ષા અધિકારી મારફતે રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી લેવાનુ રહેશે. લાયસન્સ વિના અને બેદરકારી જણાશે બાળકોને રેસ્કયું કરાશે.
નિત્યાનંદ આશ્રમમાં બાળકોને રેસ્ક્યુ કરી ગુનો નોંધાશે
બાળકોને રેસ્ક્યુ કરી સંસ્થા વિરુદ્ધ ગુન્હો નોંધાશે. JJ Act 2015ની કલમ 42 મુજબ ગુન્હો નોંધવામાં આવશે. જે મુજબ 1 વર્ષની સજા અને 1 લાખનો દંડ પણ ફટકારાશે.
લાયસન્સ બાબતે ટિમો બનાવી સઘન તપાસ કરાશે. લાયસન્સ નહી હોય તેવી સંસ્થા અને આશ્રમ વિરુદધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.