ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની સાજિશ બનાવી રહેલા જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેને લઇને દિલ્હીમાં સંભવિત એક મોટો આતંકી હુમલો ટળી ગયો છે.
એક મળતાં અહેવાલ મુજબ દિલ્હી પોલિસની સ્પેશ્યિલ સેલ ટીમને મળેતી ગુપ્ત માહિતીના આધાર પર શ્રીનગરમાં હાલમાં થયેલા ગ્રેનેડ હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ લતીફ ગનાઇની સોમવારે ધરપકડ કરી હતી.
એક મળતાં રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સભ્ય અબ્દુલ લતીફ ગણતંત્ર દિવસ પર દિલ્લીના ભીડવાળા વિસ્તારમાં એવી જ રીતે હુમલાની યોજના બનાવી રહ્યો હતો.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલની ટીમ મંગળવારે જમ્મુ-કાશ્મીર ગઇ અને ત્યાંથી બે ગ્રેનેડ અને થોડો ગોલા-બારૂદ જપ્ત કર્યો. સ્પેશિયલ ટીમે તે સિવાય બાંદીપોરામાંથી એક અન્ય આતંકવાદી હિલાલની પણ ધરપકડ કરી.
હિલાલે દિલ્લીમાં થોડી જગ્યાની રેકી કરી હતી. ઘણી લાંબા સમય સુધી રાહ જોયા બાદ પોલીસને આ આતંકીઓને પકડવામાં સફળતા મળી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી બે હેન્ડ ગ્રેનેડ અને એક ઓટોમેટિક પિસ્તોલ સહિત 26 જીવત કારતૂસ મળી આવ્યાં છે.