રાજકોટમાં શિવરાજગઢના 2 વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જેને પગલે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા દલિક પરિવારો દ્વારા છેલ્લા 25 વર્ષથી સાંથણીની જમીન આપવા અનેક વખત માગ કરવામાં આવી છે. 2015માં બે યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી એક પણ દલિત પરિવારને જમીન મળી નહતી અને હાલમાં જમીન આપવા સાંથળી કરી આપવા માગ ઊઠવા પામી છે.
બન્ને વ્યક્તિએ સાંથણીની જમીન મુદ્દે મુખ્યમંત્રીના ઘર બહાર આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ગોઠવી દેવાઈ છે. તો ઘરની આસપાસના તમામ માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.