અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે વગર મંજૂરીએ 18 જેટલા સમૂહ લગ્ન યોજાતા પોલીસે કાર્યવાહીની શરૂઆત કરી એ પહેલાં જ અફડાતફડી મચી ગઈ અને તમામ જાનૈયા વરરાજા કન્યા સહિત લગ્ન સ્થળેથી પોતપોતાના ગામ ભણી રવાના થતાં તમામ લગ્ન રહ્યા બંધ.
લીલા તોરણે જાન પાછી ગઈ
સમૂહ લગ્નમાં પોલીસ બની વિઘ્ન
17 જાનો ગઈ પાછી
ઉલ્લેખનીય છે કે, અમરેલી નજીક આવેલ ચાંદીગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આયોજક એ કોરોના કાળમાં સમૂહ લગ્ન ની પરમિશન પણ નહોતી લીધી અને મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો માસ્ક વગરના હોય અમરેલી પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરે એ પહેલાં જ આ લગ્ન સ્થળેથી જાનીયા વરરાજા અને કન્યાઓ સહિત ડરના માર્યા અને દંડ થવાની બીકે અફડાતફડી મચી ગઈ એને ભાગમ ભાગી થઈ ગઈ અને પોતપોતાના ગામ તરફ રવાના થયા.
લીલા તોરણેથી જાન પાછી ફરી
ઉલ્લેખનીય છે કે, આ 18 સમૂહ લગ્ન યોજાયેલા હતા તે તમામ લગ્ન આ સ્થળેથી બંધ રહ્યા જે લીલા તોરણેથી જાન પાછી ફરી તેવું પણ કહી શકાય અને તમામ વરરાજાઓ કન્યાઓ પોતાને ગામ જય અને પોતાની રીતે નીકળી ગયા ત્યારે અનેક કોડભરી કન્યા અને વરરાજા ઓની મનની મનમાં રહી ગઈ પરંતુ સાવરકુંડલા ની એક ગરીબ પરિવારની કન્યા કે જેને પિતાની છત્ર છાયા નથી અને હતી પછાત વિસ્તારમાં રહેતી આ કોળી જ્ઞાતિની કન્યાના લગ્ન સાવરકુંડલાના એક સેવાભાવી યુવાને વિનુભાઈ નામના પોતાના અંગત કાર્યકરને ફોન કરી તમામ વ્યવસ્થાઓ કરવા ટેલિફોનિક સૂચના આપી.
તમામ વ્યવસ્થાઓ ફોટો પર ગોઠવાઈ
આ સમાચાર મળતા જ તેમના ઘરે જ મંડપ ગોર મહારાજ અને તમામ વ્યવસ્થાઓ ફોટો પર ગોઠવાઈ ગઈ અને આ સેવાભાવી યુવાન સુરેશ પાનસુરીયા અને તેમના ધર્મપત્ની સુમનબેન એ આવી કન્યાદાન કરી વિધિવત રીતે આ કોડભરી છત્રછાયા વગરની દીકરી ના લગ્ન પૂર્ણ કરાવવા મદદરૂપ અને આશીર્વાદ રૂપ બન્યા.
પોલીસે આયોજક ઉપર ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી
જોકે આ તબક્કે સુરેશ પાનસુરીયા કેમેરા સામે એવું જણાવ્યું કે એક આયોજકની ભૂલથી અનેક વર-કન્યાને જાનૈયાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કોરોના કાળની અંદર આટલો મોટો સમૂહ ભેગો કરવો અને એ પણ માત્ર વગરનો સમૂહ ભેગો કરવો એ અતિ જોખમ હોય આયોજક એ આ વાતને વિચારી નહીં અને અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જોકે અમરેલી પોલીસે આયોજક ઉપર ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.