વર્ષ 1939થી 1945 સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓ દ્વારા કરાયેલા કબજાના કારણે પોલેન્ડમાં 50 લાખ લોકોના મોત નિપજ્યા અને લગભગ 54 અરબ ડોલરનું નુકસાન થયું. પોલેન્ડના એક સંસદીય આયોગની રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે.
પોલેન્ડની હાલની સરકાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દેશને નાઝીઓ દ્વારા પહોંચાડવામાં આવેલા નુકસાનની ભરપાઈ જર્મની પાસેથી ઈચ્છી રહી છે. સંસદીય આયોગની શુક્રવારે કરવામાં આવેલી જાહેરાત તે સમયનો ભાગ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રારંભિક આંકડા છે.
સત્તારુઢ લૉ એન્ડ જસ્ટિસ પાર્ટીના નેતા જારોસ્લાવ કાકજિન્સકીનું તર્ક છે કે નાઝીઓએ 1939માં સૌથી પહેલા પોલેન્ડ પર હમલો કર્યો હતો અને જેનાથી આ દેશને દ્વિતિય વિશ્વયુદ્ધમાં ભારે ક્ષતિ પહોંચી હતી.
દ્વિતિય વિશ્વયુદ્ધ ખતમ થયા બાદ પોલેન્ડ પર દાયકાઓ સુધી સોવિયત રૂસનું પ્રભુત્વ હતુ માટે આ દેશ સ્વતંત્રરૂપથી જર્મની પાસેથી ક્ષતિપૂર્તિ રાશિ માંગી શક્યો નહોતો. જો કે જર્મનીએ પોલેન્ડમાં નાઝીઓના અત્યાચાર બાદ જીવિત બચેલા લોકોને વળતર આપ્યુ હતુ.