યુક્રેનના ભારતીયોની મદદ માટે પોલેન્ડ સરકારે એક મોટી જાહેરાત કરી છે. ઈન્ડીયામાં પોલેન્ડના રાજદૂત આદમ બુરાકોવેંન્સ્કીએ જણાવ્યું કે યુક્રેનમાં રશિયન હુમલાથી બચનાર ભારતીય વિદ્યાર્થીઓને વગર વીઝાએ પોલન્ડમાં પ્રવેશવા દેવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે પોલેન્ડ સરકારે યુક્રેનમાંથી આવતા ભારતીયો અને વિદ્યાર્થીઓને વીઝા વગર તેમના દેશમાં આવવા દેવાની મંજૂરી આપી છે.
પોલેન્ડની જાહેરાતથી ભારતીય વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત
પોલેન્ડ સરકારની આ જાહેરાત બાદ વિદ્યાર્થીઓને ખૂબ મોટી રાહત મળશે કારણ કે તેઓ ખૂબ સરળતાથી પોલન્ડમાં પ્રવેશી શકશે અને ત્યાંથી ભારત જઈ શકશે.
Poland is allowing Indian students who escape from Russian aggression in Ukraine to enter Poland without any visa: Ambassador of Poland to India Adam Burakowski
યુક્રેન રેલવેએ ભારતીયો માટે શરુ કરી ઈમરજન્સી રેલવે
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક રાહતભરી ખબર આવી છે. યુક્રેન રેલવેએ રાજધાની કીવમાંથી ઈમરજન્સી ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ઈમરજન્સી ટ્રેન દ્વારા ભારતીયોને પશ્ચિમ વિસ્તારમાં લઈ જવામાં આવશે અને ત્યાંથી તેમને ભારત સરકારની વ્યવસ્થા પ્રમાણે તેમને સ્વદેશ લઈ જવામાં આવશે. યુક્રેન પ્રવાસી ભારતીયોને પશ્ચિમી વિસ્તારોમાં જવાની સલાહ આપી છે. યુક્રેન રેલવેની જાહેરાત અનુસાર, રાજધાની કીવથી ઈમરજન્સી ટ્રેન ચલાવવામાં આવશે અને તેમાં બેસીને વિદ્યાર્થીઓ અને ભારતીયો પશ્ચિમી વિસ્તારો સુધી જઈ શકશે.