હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે વધતા કોરોનાના કેસો પર એક અજીબ નિવેદન આપ્યું છે.
મૃતકોના આંકડા છુપાવવાના આરોપ પર બોલ્યાં હરિયાણાના સીએમ
મોત ઓછા થયા કે વધારે તે વિવાદમાં ન પડીએ તો વધારે સારુ
ડેટા પર શોર મચાવવાથી કંઈ મરેલા થોડા જીવતા થવાના છે
અમારે મોતના આંકડા સાથે કંઈ લેવાદેવા નથી
મૃતકોના આંકડા છુપાવવાના આરોપ પર બોલતા સીએમ ખટ્ટરે જણાવ્યું કે અમારે ડેટા સાથે કંઈ લેવાદેવા નથી. સીએમે કહ્યું કે મોત ઓછા થયા કે વધારે તે વિવાદમાં ન પડીએ તો વધારે સારુ.
શોર મચાવવાથી કંઈ મરેલા થોડા જીવતા થવાના છે
ખટ્ટરે જણાવ્યું કે ડેટા પર શોર મચાવવાથી કંઈ મરેલા થોડા જીવતા થવાના છે. તેમણે કહ્યું કે લોકો ઝડપથી કેવી રીતે સાજા થઈ શકે તેની પર આપણે ધ્યાન આપવું જોઈએ. મોતની સંખ્યા પર કોઈ વિવાદ કરવાની જરુર નથી. આ મહામારી... વિશે તમને કે મને કંઈ ખબર નથી. મહામારીના આ સંકટમાં આપણે દરેક જણનો સહકાર જોઈએ. તેમણે કહ્યું કે અમે દરેક જણનો જીવ બચાવવાનો પ્રયાસ કરીશું.
સોમવારે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો
કોરોનાની બીજી લહેર ભારતમાં કહેર વર્તાવી રહી છે. ગત એક અઠવાડિયાથી 3 લાખથી વધારે કેસ નોંધાયી રહ્યા છે. રવિવારે સાડા 3 લાખથી પણ વધારે નવા કેસ નોંધાયા હતા. જોકે સોમવારે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુંસાર દેશમાં સોમવારે કોરોનાના 3 લાખ 20 હજાર 435 નવા મામલા સામે આવ્યા છે. ત્યારે આ દરમિયાન 2764 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કુલ મોતની સંખ્યા 1 લાખ 97 હજાર 880 એ પહોંચી ગઈ
ભારતમાં અત્યાર સુધીમાં કુલ મોતની સંખ્યા 1 લાખ 97 હજાર 880 એ પહોંચી ગઈ છે. ત્યારે દેશમાં કોરોના વાયરસથી 28 લાખ 82 હજાર 513 એક્ટિવ મામલા સામે આવ્યા છે.
આ ઘટાડો મહારાષ્ટ્રના કારણે આવ્યો
ભારતમાં નવા મામલામાં આ ઘટાડો મહારાષ્ટ્રના કારણે આવ્યો છે. ત્યારે સોમવારે કોરોનાના નવા મામલામાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જ્યાં દર રોજ 60 હજારને પાર નવા મામલા સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારે 48 હજાર 700 નવા મામલા આવ્યા છે. રવિવારે મૃતકોના આંકડા 800ને પાર પહોંચવાના એક દિવસ બાદ જ મરનારાની સંખ્યા ઓછી થઈ ગઈ છે. બીજી તરફ મુંબઈમાં ગત એક દિવસમાં ફક્ત 3, 876 નવા કેસ સામે આવ્યા છે.
દિલ્હીમાં યથાવત છે કોરોનાનું તાંડવ
મહારાષ્ટ્રથી જ્યાં એક તરફ થોડી રાહત મળી તો હવે દિલ્હીમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. દિલ્હીમાં સોમવારે કોરોનાથી રેકોર્ડ બ્રેક 380 લોકોના જીવ ગયા હતા. આ એક દિવસમાં સૌથી વધારે મોતનો રેકોર્ડ નોંધાયો છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના 20 હજારથી વધારે કેસ નોંધાયા છે.