બોલીવુડ અભિનેતા સલમાન ખાને બોલીવૂડની ૩૦ વરસની કારકિર્દીમાં મિત્રો પણ બનાવાવ્યા છે અને દુશ્મનો પણ. જોકે તેણે તાજેતરમાં કહ્યું હતું કે મનોરંજન ઉદ્યોગમાં તેના કોઇ દુશ્મન નથી. ફક્ત ચોક્કસ વ્યક્તિઓ સાથે તેને ફાવતું નથી. બોલીવૂડમાં મારા કોઇ દુશ્મનો નથી. હા પરંતુ મારા પરિવારની જે વ્યક્તિ ઇજ્જત નથી કરતી તે લોકો મને પસંદ નથી.
આ ઉપરાંત તેમને કહ્યું હતું કે આ લોકોની સાથે મને સંબંધ રાખવો એને ફાવતો નથી.આ ઇન્ડસ્ટ્રીમાં એ ક-બે પરિવાર એવા છે જેમણે કદી તેની અને તેના પરિવારની ઇજ્જત કરી નથી. જોકે મને આનાથી કોઇ ફરક પડતો નથી.
ઉલ્લેખની છે કે 8 મેના રોજ સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શન દરમિયાન સલમાનના નાના ભાઇ સોહેલ ખાનની પત્ની સીમા સાથે ઋષિ કપૂરની બોલાચાલી થઇ ગઇ હતી. ઋષિ વારંવાર સીમાને સલમાનની વર્તણૂક અંગે ફરિયાદ કરી રહ્યાં હતા. વાતોથી શરૂ થયેલો આ સિલસિલો બોલાચાલીમાં તબદીલ થઇ ગયો.
જ્યારે સીમાએ સલમાનને આ અંગે જણાવ્યું તો સલમાન નારાજ થઇ ગયો હતો. પરંતુ પછીથી નીતૂ કપૂરે પોતાના પતિ તરફથી સોહેલ અને તેના પરિવારની માફી માંગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઋષિ કપૂર તે વાતથી નારાજ હતાં કે સલમાન અન્ય સ્ટાર્સ સાથે ડાન્સ કરી રહ્યો છે અને ગીતો ગાઇ રહ્યો છે પરંતુ તેણે તેમની સાથે સરખી મુલાકાત પણ ન કરી.