ભારતમાં એવા ઘણા મંદિર અને ધાર્મિક સ્થ છે જ્યાં દેવી મા ના અનેક રૂપોની પૂજા કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એમના એક મંદિર માટે જણાવીએ છીએ જ્યાં એમના એક એવા રૂપને પૂજવામાં આવે છે જેના ઇતિહાસ માટે કોઇને જાણ હશે નહીં. જણાવી દઇએ કે દેવી કાલીનું આ અદ્ધુત મંદિર ડલહૌજીના ડૈનકુંડ પહાડીઓમાં વસેલું છે.
દેવી કાલીનું હિમાચલ પ્રદેશના જિલ્લ ચંબાની ડલહૌજીથી 12 કિમીના અંતરે સુંદર વાદળોની વચ્ચે વસેલું આ મંદિર પોહલાની નામથી ઓળખાય છે. પોહલાની દેવી પહેલવાનોની દેવી કહેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અહીંયા વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે.
માન્યતા છે કે અહીંયા આવનાર દરેક ભક્તની ઇચ્છા જરૂરથી પૂર્ણ થાય છે. ઇચ્છા પૂર્ણ થવા પર ભક્ત દેવીને ધન્યવાદ આપવા પણ આવે છે.
પૌરાણિક કથા અનુસાર હજારો વર્ષ પહેલા આ ડૈનકુંડની પહાડીના એ માર્ગથી કોઇ પણ અવરજવર થતી નથી કારણ કે આ પહાડી પર રાક્ષસોનો વાસ હતો. ત્યારે માતા કાલીએ પહેલવાનના રૂપમાં આવીને એ રાક્ષસોનો સંહાર કર્યો ત્યારથી આ મંદિરનું નામ પોહલવાની પડ્યું. કહેવાય છે કે ડૈનકુંડ નામની આ જગ્યા પર ડાકણોનું નિવાસ સ્થાન હતું. આજે પણ અહીંયા એ કુંડ જોઇ શકાય છે. લોકોનું કહેવું છે કે ડૈન અમાસ પર આજે પણ અહીંયા ડાકણ આવે છે.
કેટલીક પૌરાણિક કથા પ્રમાણે લોકો પર વધી રહેલા અત્યાચારને જોઇને માતા મહાકાલીથી ડૈન કુંડની પહાડીઓના એક મોટા પથ્થરથી પ્રકટ થઇ કહેવાય છે પથ્થરના ફાટવાનો અવાજ દૂર દૂર સુધી લોકોને સંભાળ્યો. દેવી કાલીના આ કન્યા રૂપી માતાના હાથમાં ત્રિશૂળ હતું. એવું કહેવામાં આવે છે કે અહીંયા માતાએ રાક્ષસો સામે એક પહેલવાનની જેમ વડીને એમનો વધ કર્યો હતો. ત્યારબાદથી અહીંયા માતાને પહેલવાની માતા તરીકે ઓળખવામાં આવે છે.