મધ્ય પ્રદેશના મંત્રી બિસાહુલાલે મોંઘવારીના ગણિત પર આપેલું નિવેદન ચર્ચામાં છે.
લોકો સોશિયલ મીડિયા પર બિસાહૂલાલને ટ્રોલ કરી રહ્યા છે
કુમાર વિશ્વાસે કટાક્ષ કરતા લખ્યું સર્વશિક્ષા અભિયાન બહું જરુરી છે
અમે વેટ નથી વધાર્યો કમલનાથજીએ વધાર્યો છે- નરોત્તમ મિશ્રા
લોકો સોશિયલ મીડિયા પર બિસાહૂલાલને ટ્રોલ કરી રહ્યા છે
સોશિયલ મીડિયા પર લોકો બિસાહૂલાલને ટ્રોલ કરી રહ્યા છે. પૂર્વ આપ નેતા અને કવિ કુમાર વિશ્વાસે મધ્ય પ્રદેશના મંત્રી પર નિશાનો સાધ્યો છે. કુમાર વિશ્વાસે મંત્રીજીના નિવેદનને શેર કરતા ટ્વીટમાં લખ્યું કે સર્વશિક્ષા અભિયાન બહું જરુરી છે. એક પણ બાળક છુટ્યું તો અક્લ ચક્ર તુટ્યુ.
આજ કાલ 1 કિલો અનાજ 19 રુપિયે વેચાઈ રહ્યું છે
આ પહેલા મધ્ય પ્રદેશના ખાદ્ય, નાગરિક સપ્લાય અને ઉપભોક્તા સંરક્ષણ મંત્રી બિસાહૂલાલે કહ્યું હતું કે પહેલા લોકો 1 રુપિયામાં 1 કિલો ચોખા ખરીદતા હતા. આજ કાલ 1 કિલો અનાજ 19 રુપિયામાં વેચાઈ રહ્યું છે. જો ખેડૂતોને આ પ્રકારનો લાભ મળી રહ્યો છે તો મુદ્રાસ્ફુર્તિને સ્વીકાર કરવો જોઈએ.
सर्वशिक्षा-अभियान बहुत आवश्यक है😢
एक भी बच्चा छूटा, अक़्ल-चक्र टूटा 🇮🇳🙏 https://t.co/6S743OsYRJ
યુઝર @baujidesiએ લખ્યું કે અદાની પોર્ટનો માલ સીધો ભાજર કાર્યાલય તો નથી જઈ રહ્યોને? કેવા કેવા ગવાર મિનિસ્ટર બની જાય છે. એક અન્ય યુઝર @atulrathod123 એ લખ્યું કે મધ્ય પ્રદેશ ભાજપીયાઓ ક્યાંથી લાવ્યા છો આવા નમુનાઓ? જો આના લોજિકથી ચાલીએ તો આ મહાશયે પેહેલા પોતાની અને બાકીના તમામ રાજનેતાઓનો પગાર અને પેન્શન બંધ કરવાની ભલામણ કરવી જોઈએ. તમામ સરકાર મોંઘવારી પર વચ્ચેના બંદર રમો. સામાન્ય જનતાની સુવિધા અને પેન્શન બંધ કરો અને પોતાની વધારતા જાઓ. કેમ મોદીજી.
અમે વેટ નથી વધાર્યો કમલનાથજીએ વધાર્યો છે
આ પહેલા મધ્ય પ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલના રેટ વધવાનું ઠીકરુ પાછલી કમલનાથ સરકારના માથા પર ફોડ્યું. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે અમે વેટ (પેટ્રોલ અને ડીઝલના ભાવ પર) નથી વધાર્યો. આ પૂર્વ સીએમ અને કોંગ્રસ નેતા કમલનાથજી હતા. જેમણે કોંગ્રેસના ઢંઢેરામાં પેટ્રોલની કિંમતોને ઓછા કરવાનો વાયદો મજબૂત વેટમાં વૃદ્ધિ કરી હતી. તેમણે જવાબ આપવો જોઈએ કે તેમણે કેમ તે વધાર્યો છે.