આપણે ઘરમાં ઉપયોગમાં લઈએ છીએ તે PNGમાં અમુક હાનિકારક કેમિકલ્સ હોય છે, જેનાથી કેન્સરનો પણ ખતરો રહે છે. જાણો આ કેમિકલ્સ વિશે તથા તેનાથી બચવાના ઉપાયો વિશે.
PNGમાં બેન્ઝિન જેવા હાનિકારક કેમિકલ્સ હોવાનો રિપોર્ટમાં દાવો
કેન્સર માટે જવાબદાર છે આ કેમિકલ્સ
જે વ્યક્તિ લાંબા સમય સુધી રસોડામાં રહે છે, તેણે કાળજી લેવી જોઈએ
ઘણી વાર રસોડામાં જ્યારે આપણે રસોઈ બનાવતા હોઈએ ત્યારે પંખો ચાલુ રાખવો પડે છે અથવા તો બારી બારણાં ખોલવા પડે છે નહીંતર આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. ચાલો જાણીએ આ અસરો વિશે તથા તેનાથી બચવાનાં ઉપાયો વિશે.
28 જૂન, 2022નાં દિવસે HARVARD T.H CHAN school of public healthમા એક રિપોર્ટ પબ્લીશ કરવામાં આવ્યો હતો, જેમાં નેચરલ ગેસમાં બીજા કયા કયા પદાર્થો હોય છે, એ વિશે વાત કરવામા આવી છે.
નેચરલ ગેસનો ઉપયોગ ઘરમાં ક્યાં ક્યાં થાય છે?
PNGનો ઉપયોગ કિચનમા રસોઈ બનાવવા માટે ગેસ સ્ટવમાં
ઘરે ગેસ વોટર હીટરમાં
રિસર્ચમાં PMGમા ઘણા કેમિકલ્સ હોવાની વાત સામે આવી છે જેવાકે બેન્ઝિન, ઇથાઈલ બેન્ઝિન, તુલિન, ઝાયલીન, હેકઝેન વેગેરે.... આ કેમિકલ્સમાંથી જો માત્ર બેન્ઝિનની જ વાત કરીએ તો તે એક કાર્સિનોજેનિક કેમિકલ છે, જે કેન્સર માટે જવાબદાર છે.
બેન્ઝિનની ઇફેક્ટ્સ
જો આપણે થોડા સમય માટે બેન્ઝિન શ્વાસમાં લઈએ, તો પણ ટેની અમુક અસરો જોવા મળે છે. જેવી કે,
માથું દુઃખવું
કામ કરવાની ઈચ્છા ન થવી
ઉલ્ટી જેવુ થાય
ચક્કર આવવા
મૂંઝવણ થવી
એકસાથે જો વધારે માત્રામાં બેન્ઝિન શ્વાસમાં જાય તો,
પેટમાં તકલીફ થવી
ઉલ્ટીઓ થવી
ઊંઘ આવવા લાગે
હૃદયનાં ધબકારા વધી શકે
જીવ પણ જઈ શકે છે
બેન્ઝિન એવા પ્રકારનો કેમિકલ છે, જે આપણા કોશોને કામ જ કરવા દેતો નથી. એટલા માટે બેન્ઝિનથી કેન્સર તથા બીજી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે.
શું આપણે ડરવાની જરૂર છે?
રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો ઘરમાં સ્મોલ લીક હોય, તો બેન્ઝિન તથા બીજા હાનિકારક કેમિકલ્સ શ્વાસમા જતા હોય છે, તો આપણને તેની જાણ પણ થતી નથી. આમ થવાથી પેટને લગતી સમસ્યાના શિકાર બની જવાય છે.
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે PNGમાં એટલી ઓછી માત્રામા આવા હાનિકારાક કેમિકલ્સ હોય છે કે જો ખૂબ જ લીક હોય, તો જ સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળે છે, પણ જે વ્યક્તિ લાંબા સમય સુધી રસોડામાં રહે છે, તેણે કાળજી લેવી જોઈએ.
કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?
ગેસ સ્ટવ કે વોટર હીટર જ્યારે ઘરમાં ફિટ કરવામાં આવે અથવા તો રીપેર કરવામાં આવે ત્યારે આ કામ એક્સપર્ટ્સ પાસે જ કરાવવું જોઈએ.
દર 6 મહિનામાં એક્સપર્ટને બોલાવીને ગેસ સ્ટવ કે વોટર હીટર ચેક કરાવી લેવું જોઈએ.
ઘરમાં રસોઈ કરતાં સમયે ધ્યાન રાખવું કે રસોડામા હવા - ઉજાશ રહે.
જો સગવડ હોય તો ચીમનીનો ઉપયોગ પણ કરી શકાય. આ ચીમની ગેસની ઉપર લાગેલી હોય છે, જે બધી હવા ખેંચી લે છે અને આપણા સુધી પહોંચવા નથી દેતી.
જો ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ માટે ઘણા રિસર્ચ કહે છે કે ગેસ સ્ટવની પાછળની સાઈડ લાગેલા ગેસનો પહેલા ઉપયોગ કરવો.