ન્યૂ દિલ્હીઃ ઋણ ઘોટાળાઓની શિકાર પંજાબ નેશનલ બેંકે (PNB)એ લાપતા દેવાદારોની ઓળખ કરવા માટે જાસૂસી એજન્સીઓને અનુબંધિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બેંકને આને માટે એસી એજન્સીઓને આવેદન આમંત્રિત કર્યા છે.
અનુબંધિત જાસૂસી એજન્સીઓનું કામ તે દેવાદારો સાથે રહેલાં દેવાદારો ગેરંટી આપનારા લોકો તેઓનાં વારસદારો વિશે ઓળખ કરવી પડશે કે જેનાં વિશે કોઇ પણ પ્રકારની જાણકારી નથી અને તેઓએ જેનાં વિશે વાત કરી ત્યાં કોઇ નથી રહેતું. PNB દેશની બીજી સૌથી મોટી બેંક છે. તેમનું ફસાયેલું દેવું ડિસેમ્બર 2017માં 57 519 કરોડ રૂપિયા અથવા તો કુલ દેવું 12.11 ટકા સુધી પહોંચી ગયું છે.
"PNBની ગાંધીગિરી":
ફસાયેલા દેવાની વસૂલીને લઇને એવી ખબર સામે આવી છે કે PNB "ગાંધીગીરી"નો માર્ગ પણ હવે અપનાવશે. આનાં હેઠળ દેવું નહીં લોટાવનાર દેવાધારકોનાં નામ સાર્વજનિક કરવામાં આવશે. બેંક દર મહીને 150 કરોડ રૂપિયા સુધી ફસાયેલા દેવાંની વસૂલીનો પ્રયાસ કરશે. જોહરી નીરવ મોદી અને મેહલુ ચોક્સીની દગાબાજીથી બેંક 13 000 કરોડ રૂપિયાથી વધારે ગોટાળાનો શિકાર થયેલ છે.
બેંકે કહ્યું કે PNBએ જાસૂસી કરવાવાળી એજન્સીઓની પેનલ બનાવવાને લઇને આજે આવેદન આમંત્રિત કરાયાં. આનો ઉદ્દેશ્ય ફસાયેલા દેવાઓની વસૂલીમાં તેજી લાવવાનો છે. આ એજન્સીઓ ક્ષેત્રમાં દેવાંની વસૂલી માટે કામ કરી રહેલાં કર્મચારીઓની સહાયતા કરશે. આમાં રૂચિ રાખવવાળા પક્ષોથી 5 મેં સુધી આવેદન અને જરૂરી દસ્તાવેજ આપવાનું કહેવામાં આવ્યું.