1 સપ્ટેમ્બરથી PNB પણ સેવિંગ એકાઉન્ટના વ્યાજદરોમાં ઘટાડો કરશે.
બેન્ક ગ્રાહકોને મોટો ઝટકો
1 સપ્ટેમ્બરથી લાગુ થશે આ નિયમો
PNBના ગ્રાહકને મળશે ઓછુ વ્યાજ
1 સપ્ટેમ્બરથી બેન્ક ગ્રાહકોને મોટો ઝાટકો લાગવાનો છે. જો તમારૂ સેવિંગ એકાઉન્ટ પંજાબ નેશનલ બેન્કમાં છે તો તમારા માટે જરૂરી ખબર છે. તમને પોતાના સેવિંગ એકાઉન્ટ પર ઓછુ વ્યાજ મળશે. પંજાબ નેશનલ બેન્કે 1 સપ્ટેમ્બરથી સેવિંગ એકાઉન્ટના વ્યાજદરોને ઓછુ કરવાનો નિર્ણય કર્યો છે.
PNBએ સેવિંગ એકાઉન્ટ પર ઘટાડ્યા વ્યાજ દર
પંજાબ નેશનલ બેન્કે ઓફિશ્યલ વેબસાઈટ https://www.pnbindia.in/Interest-Rates-Deposit.html પર હાજર જાણકારીમાં જણાવ્યા અનુસાર 1 સપ્ટેમ્બરથી સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરોમાં કપાત થશે. PNBએ બચત ખાતા પર વ્યાજદર વાર્ષિક 3 ટકાથી ઘટાડીને 2.90 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. PNBના આ નિર્ણયની અસર બેન્કના નવા અને જુના બન્ને ગ્રાહકો પર પડશે.
SBIએ પણ ઘટાડ્યા છે વ્યાજદર
સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદર ઘટાડનાર PNB એકમાત્ર નથી. આ પહેલા દેશના સૌથી મોટા બેન્ક SBIએ પણ વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. SBIએ તો સેવિંગ એકાઉન્ટના વ્યાજદરોમાં પણ ઘટાડો કરી વાર્ષિક 2.70 ટકા કરી દીધુ છે. SBI અને PNB દેશનું નંબર વન અને નંબર ટૂ સૌથી મોટી બેન્ક છે પરંતુ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ આપવાના મામલામાં બાકીની બેન્કોથી ખૂબ પાછળ છે. IDBI, કેનરા બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બેન્ક ઓફ બરોડા તેનાથી વધારે વ્યાજ આપે છે. કોટક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેન્ક તો સેવિંગ્સ ઓકાઉન્ટ પર વાર્ષિક 4થી 6 ટકા સુધી વ્યાજ આપે છે.