સુરતઃ PNB કૌભાંડી નીરવ મોદીના મામલે વધુ એક વિગતો સામે આવી છે. નીરવ મોદીએ રૂ. 3.50 લાખ ડોલરની ઉઘરાણી માટે સુરતના હીરાના વેપારી નિલેશ ગુંઠેને ફોન કર્યો હતો. નિલેશ ગુંઠેએ રૂ. 3.50 લાખ ડોલરની જવેલરી ખરીદી હતી.
સુરત સ્થિત સ્ટાર ફાયરમાંથી બેલજીયમ ખાતે જવેલરી ખરીદી હતી. 14 ફેબ્રુઆરીએ નીરવ મોદીએ ઇમેઇલ કરી હવાલાથી રૂપિયા મંગાવ્યા હતા. સમગ્ર મામલે નિલેશ ગુંઠેએ ઇમેઇલ કરી PMOને જાણ કરી છે.
ઉલ્લેખનયી છે કે પંજાબ નેશનલ બેંક સાથે 11 હજાર 400 કરોડના કૌભાંડના આરોપી નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ ગત વર્ષ નવેમ્બરમાં જ દેશ છોડી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.
મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની જે બ્રાંચમાં કૌભાંડ થયો તેના અધિકારી સાથે મામા-ભાણીયો મળેલા હતા. ગોકુલનાથ સેટ્ટી રિટાયર થતાં નવા અધિકારી આવ્યાં હતાં. જેને LoU પર સવાલ ઉભા કર્યા હતા.