પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 13.50 હજાર કરોડનું કૌભાંડ આચરનાર મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ કેસમાં આજે એન્ટિગુઆમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરન્ડર છે અને પોતાને હવે મેહુલ ચોક્સી એન્ટિગુઆનો નાગરિક જણાવી રહ્યો છે.
મેહુલ ચોક્સીનું કહેવું છે કે તેણે કાયદાકીય રીતે ભારતીય નાગરિકતા છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને લઈને આજે સુનાવણી હાથ ધરાશે પરંતુ તે પહેલા જ પોતાને મેહુલ ચોક્સીએ એન્ટિગુઆનો નાગરિક જાહેર કર્યો છે.
જેનાથી હવે ભારત પ્રત્યાર્પણના રસ્તામાં હવે મુશ્કેલી ઊભી થઈ શકે છે. મેહુલ ચોક્સીએ પોતાનો પાસપોર્ટ કે જેનો નંબર છે Z-3396732 તે પણ હાઈ કમિશનમાં જમા કરાવી દીદો છે. આ સાથે જ તેની કુલ ફી 117 ડોલર પણ જમા કરાવી દીદા છે.
આ અંગે વિદેશ મંત્રાલયે પણ ગૃહમંત્રાલયને જાણ કરી દીધી છે. તો મેહુલ ચોક્સીએ નાગરિકતા છોડ્યા બાદ પીએમઓ દ્વારા પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 13.50 હજાર કરોડનું કૌભાંડ આચરનારા મેહુલ ચોક્સીએ પોતાનો પાસપોર્ટ સરન્ડર કર્યો છે અને હવે તે પોતાને એન્ટિગુઆનો નાગરિક બતાવી રહ્યો છે.
જો કે ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત સરકારે ઈકોનોમીક ઓફેન્ડર્સ બીલ પાસ કરી દીધુ છે. જેથી જેટલા પણ ઈકોનોમીક ઓફેન્ડર્સ હશે તેમને છોડવામાં નહીં આવે. આવા તમામ ઈકોનોમીક ઓફેન્ડર્સને ભારત લવાશે. કોઈ પણ ભોગે ઈકોનોમીક ઓફેન્ડર્સને ભારત લવાશે.