પંજાબ નેશનલ બેંક (PNB) માં બે અરબ રૂપિયાના કૌભાંડ મામલે CBI દ્વારા શુક્રવારના રોજ એક નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ આરોપ પત્રમાં વેપારી નીરવ મોદીના ભાઇ નેહલ મોદી અને ચાર અન્યને આરોપી બનાવામાં આવ્યાં છે.
PNB કૌભાંડ મામલે CBI એ નવી ચાર્જશીટ દાખલ કરી
ચાર્જશીટમાં નીરવ મોદીના ભાઇ નેહલ મોદીનું નામ કર્યું સામેલ
નેહલ મોદી સહિત અન્ય ત્રણના નામ પણ કર્યાં સામેલ
આ ચાર્જશીટમાં નીરવ મોદી સિવાય, તેના ભાઇ નેહલ મોદી, PNB માં બરતરફ કરાયેલ ડેપ્યુટી જનરલ મેનેજર સંજય પ્રસાદ અને નીરવ મોદીના સહયોગી અમિત મગિયા, સંદીપ મિસ્ત્રી અને મિહિર ભંસાળીનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
CBI એ ન્યાયધીશ વીસી વર્દેની કોર્ટમાં આરોપ પત્ર દાખલ કરતા જણાવ્યું કે મિહિર ભંસાળી, સંદીપ મિસ્ત્રી અને નેહલ મોદી દેશની બહાર છે અને તેમના વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવે. વિશેષ સરકારી વકીલ તેમજ લિમોસિને જણાવ્યું કે એજન્સીના નવા આરોપ પત્રમાં પૂરાવાને નષ્ટ કરવા તેમજ સાક્ષીઓને ધમકાવાનો નવા આરોપ જોડવામાં આવ્યાં છે.