અમદાવાદઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નીરવ મોદી સામે તપાસનો મામલે CBIની તપાસમાં મોટો ખુલાસો થયો છે. બેંક કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે. હરિભાઈ ચૌધરીને પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં બે કરોડ રૂપિયા આપ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. PNB બેંક કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવતા ખળભળાટ મચ્યો છે.
આરોપી સતિષ સાનાએ હરિભાઈ ચૌધરીને લાંચ આપી હોવાની કબૂલાત કરી છે. જૂન 2018માં હરિભાઈને સતિષ સાનાએ લાંચ પેટે નાણાં આપ્યા હોવાની કબૂલાત કરી છે. તો CBI પોતાની તપાસનો રિપોર્ટ સુપ્રીમકોર્ટમાં પણ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. હાલમાં હરિભાઈ ચૌધરી કેન્દ્રીય ખાણ ખનીજના રાજ્યમંત્રી છે. ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.
સીબીઆઇના અધિકારીના આરોપ ખોટા સાબિત થશે તો રાજનીતિ છોડી દઇશઃ હરિભાઇ
મહત્વનું છે કે સીબીઆઇના અધિકારી એમ.કે.સિન્હા દ્વારા લગાવાયેલ આરોપોને આધારહિન અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જો આ આરોપ સાબિત થશે તો હું રાજનીતિ છોડી દઇશ. સીબીઆઇને લઇને ચાલી રહેલ વિવાદ સોમવારે વરિષ્ઠ અધિકારી એમ.કે.સિન્હ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તથા કેન્દ્રીય મંત્રી હરિભાઇ અને કે.વી.ચૌધરીનું નામ લેવાતા ખળભળાટ મચ્યો છે.