દેશની બેંકોને અબજો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી જનાર નીરવ મોદી સામે અન્ય એક કેસમાં ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ એકસાઈઝ અને કસ્ટમ વિભાગે કરેલી ફરિયાદ મુજબ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારી નીરવે રીબેટ યોજનનો લાભ લેવા માટે રૂપિયા 4 કરોડ 90 લાખના ડાયમંડને ઓવર વેલ્યુએશન કરી 93.70 કરોડના દર્શાવ્યાં હતા. જેને લઈને તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી. નીરવ મોદીએ ઇમ્પોર્ટ કરેલા સારી કવોલીટીના ડાયમંડને બારોબાર વેચ્યા હતા જ્યારે હલકી કક્ષાના ડાયમંડને ઓવર વેલ્યએશન કરી એકસપોર્ટ કર્યાં હતા.
આપને જણાવી દઇએ કે પંજાબ નેશનલ બેકનું 13 હજાર કરોડનું ફુલેકુ ફેરવનાર નીરવ મોદી હોંગકોંગ છોડીને અમેરિકા જતો રહ્યો હોવાની માહિતી મળી હતી. થોડા દિવસ પહેલા જ સરકારે માહિતી આપી હતી કે નીરવ મોદી હોંગકોંગમાં છે. ત્યારે આજરોજ સેન્ટ્રલ એકસાઈઝ અને કસ્ટમ વિભાગે કરેલી ફરિયાદ મુજબ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા વધુ એક વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.