દેશની દિગ્ગજ પંજાબ નેશનલ બેંકે પણ એસબીઆઈ બાદ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. પીએનબીએ રેપો રેટ આધારિત લોન પર વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
પંજાબ નેશનલ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કરવાની કરી જાહેરાત
રેપો રેટ આધારિત લોન પર વ્યાજ દરમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો
પીએનબીએ અગાઉના 6.80 ટકા ઘટાડી 6.55 ટકા કર્યા
નવા લોન પર આજથી લાગુ
પીએનબીએ અગાઉના 6.80 ટકા ઘટાડી 6.55 ટકા કર્યા છે. નવા દરો 17 સપ્ટેમ્બર 2021થી લાગુ થશે. રેપો રેટ ભારતીય રિઝર્વ બેંક નક્કી કરે છે. અત્યારે રેપો રેટ 4.00 ટકા છે. અહેવાલ મુજબ, દરેક નવા ફ્લોટિંગ રેટ પર્સનલ અથવા રિટેલ લોન (હાઉસિંગ, ઓટો વગેરે) અને માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ લોન માટે ફ્લોટિંગ રેટ લોન 17 સપ્ટેમ્બર 2021થી લાગુ થશે અને આ મંજૂરીની તારીખથી 3 વર્ષ બાદ તેને રીસેટ કરી દેવામાં આવશે.
જો તમે લોન લીધી છે તો
પીએનબીની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, જો તમે 1 ઓક્ટોબર 2019 અને 31 ઓગષ્ટ 2020ની વચ્ચે રેપો રેટ લિંક્ડ રેટ પર લોન લીધી છે તો તારીખની મંજૂરીથી તેને 2.65 ટકાના માર્ક પર ત્રણ વર્ષ બાદ રીસેટ કરવામાં આવશે. જો આ દરમ્યાન વધારો થાય છે તો 2.80 ટકાના માર્ક અપ પર લાગુ પડશે.
લોન પર જાણી લો અપડેટ
હાલના ફ્લોટિંગ દર પર્સનલ અથવા રિટેલ લોન (હાઉસિંગ, ઓટો વગેરે) અને માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ લોન માટે ફ્લોટિંગ રેટ લોન મામલે 1 સપ્ટેમ્બર 2020થી 16 સપ્ટેમ્બર 2021 સુધી હાલના માર્ક-અપ 2.80 ટકાની સાથે ચાલુ રહેશે. આ મંજૂરીની તારીખથી 3 વર્ષ બાદ રીસેટ કરવામાં આવશે.