SBI અને બેંક ઑફ બરોડામાં અન્ય બેંકોના મર્જર કર્યા પછી સરકાર ટૂંક સમયમાં જ વધારે ત્રણ બેંકોનું મર્જર થવા જઇ રહ્યુ છે જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અમેરિકાથી પરત આવીને કરી શકે છે. આ બેંકોનું મર્જર થયા પછી દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે.
આ ત્રણ બેંકોનું થઇ શકે છે મર્જર:
એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર પંજાબ નેશનલ બેંક ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ અને પજાંબ એન્ડ સિંધ બેંકનું મર્જર કરવા જઇ રહી છે. આ વિશે નિર્ણય સરકાર ચૂંટણી પહેલા કે પછી લઇ શકે છે.
જ્યાં PNB અને પંજાબ એન્ડ સિંધ બેંકનુ મુખ્યકાર્યાલસ દિલ્હીમાં છે જ્યારે OBCનું ગુરુગ્રામ સ્થિત છે. જો કોઇ સરકાર આ બેંકોના મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપી દે છે તો SBI પછી આ દેશની સૌથી મોટી સરકારી બેંક થઇ જશે અને બેંક ઑફ બરોડાને પણ માત આપી દેશે.
16.5 લાખ કરોડની છે જમા પૂંજી:
આ ત્રણેય બેંકના મર્જર પછી નવી બેંકની જમા પૂંજી 16.5 લાખ કરોડ રૂપિયા થઇ જશે જેમાં ડિપોઝિટ 9.6 લાખ કરો અને લોન 7 લાખ કરોડ શામેલ થશે.
8.2% છે PNBનો નેટ એનપીએ:
PNBનો નેટ NPA 8.22% છે જ્યારે OBCનું NPA 7.15% છે. તાજેતરમાં PNBએ પોતાના ત્રિમાસિક પરિણામની જાહેરાત કરી હતી. બેંકનો શુદ્ઘ લાભ 7.12%થી વધીને 246.51 કરોડ રૂપિયા થઇ ગયા.
કુલ આવકમાં ઘટાડો:
શેર બજારને આપવામાં આવેલી જાણકારી અનુસાર સમીક્ષાધીન અવધિની કુલ આવક 2.46 % ઘટીને 14 854.24 કરોડ રૂપિયા રહી અને પછી વિત્ત વર્ષની આ અવિધમાં 15 257.5 કરોડ રૂપિયા હતી.
નીરવ મેહુલે કર્યો હતો ઘોટાળો:
ઉલ્લેખનીય છે કે PNB 14 356 કરોડ રૂપિયા નીરવ મોદી મેહુલ ચોક્સ છેતરપિંડીના મામલામાં શિકાર થયા. બેંકના અધિકારીએ જણાવ્યુ કે કંપનીના વિત્તીય આકંડા ફરી સકારાત્મક દિશામાં દેખાવવા લાગ્યા છે.
દેશની ત્રીજી સૌથી મોટી બેંક:
દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઑફ બરોડમાં મર્જર થશે. આ મર્જર પછી જે બેંક અસિતત્વમાં આવશે તે SBI અને ICICI બેંક પછી દેશની ત્રીજી મોટી બેંક થઇ જશે. દેશમાં જે પાંચ મોટી બેંક છે તેમાં SBI HDFC બેંક ICICI બેંક પજાંબ નેશનલ બેંક અને બેંક ઑફ બરોડા શામેલ છે.
જોકે આ બેંકોના ગ્રાહકોના પેપરવર્ક વધી જશે. દેના અને વિજયા બેંકનું બેંક ઑફ બરોડાનું મર્જર નહી થાય પરંતુ આ ત્રણેય બેંકોનું મર્જરથી નવી બેંક બનશે.
ફરીથી ખોલવા પડી શકે છે ખાતા:
આ ત્રણ બેંકના ગ્રાહકોને નવી બેંકમાં ફરી પોતાના ખાતા ખોલવા પડશે. જેના માટે જરૂરી પેપરવર્ક વધી જશે. ગ્રાહકોને ખાતું ખોલવા માટે ફરી એક વખત KYCની પ્રક્રિયા કરવી પડશે. kYC થયા પછી ગ્રાહકોને નવી ચેકબુક ATM કાર્ડ અને પાસબુક મળશે.
જમા રકમ રહેશે સુરક્ષિત:
આ ત્રણ બેંકોના ગ્રાહકોની જમા રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. જોકે મર્જર પછી નવી બેંક અસિત્વમા આવશે તો પછી ગ્રાહકોને થોડા સમય માટે ખાતાના વ્યવહાર રોકવા પડશે. એવામાં કોઇ પણ ફરીથી થશે અને બેંક એટલા સમય માટે ખાતામાં પૈસા નીકળવા પર અથવા તો જમા કરાવવા પર રોક લગાવી શકે છે.