વિવાદાસ્પદ પંજાબ નેશનલ બેંક સતત કૌભાંડોથી ઘેરાયેલી રહે છે. RBIની નવી તપાસ પ્રમાણે બેન્કે ઘણા આંકડાઓની ખોટી રજૂઆત કરી છે. રીઝર્વ બેન્કની તપાસમાં જાણવા મળ્યું હતું કે પંજાબ નેશનલ બેન્કની જાહેર કરાયેલી NPA અને વાસ્તવિક NPAમાં તોતિંગ 2617 કરોડનો તફાવત હતો.
RBIના રિપોર્ટની જાણકારી મુજબ પંજાબ નેશનળ બેંકે શેરબજારમાં જાહેરાત કરી હતી કે 2018-19ના ઓડિટમાં તેની ગ્રોસ NPA 81089 કરોડ રૂપિયા હતી. નોંધનીય છે કે આ આંકડો બેંકે જાહેર કરેલ NPAના આંકડા (78472 કરોડ) કરતા 2617 કરોડ રૂપિયા વધુ છે.
નેટ NPAમાં પણ ગોટાળા
RBIએ નોંધ્યું છે કે નેટ NPAમાં પણ 2617 કરોડનો તફાવત નોંધ્યો છે. નેટ NPA પંજાબ નેશનલ બેંકે 30037 કરોડ નોંધાવ્યો છે જયારે RBIના ઓડિટ પ્રમાણે આ આંકડો 32654 કરોડ જેટલો છે.
ચોખ્ખા નુકશાનના આંકડા પણ ખોટા
2018-19માં RBIના ઓડિટ પ્રમાણે બેન્કને 11335 કરોડનું ચોખ્ખું નુકશાન થયું હતું જયારે બેંકે આ નુકશાન 9975 કરોડ રૂપિયા જેટલું જ દર્શાવ્યું હતું. આ ઉપરાંત બેંકે દેવામાં ફસાયેલા નાણા માટે 48151 કરોડની વ્યવસ્થા કરી છે જયારે હકીકતમાં આ માટે 50242 કરોડ રૂપિયાની જરૂર છે.