દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પીએનબી (પંજાબ નેશનલ બેંક)માં સેલેરી એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે છે. ખરેખર, બેંક સેલેરી એકાઉન્ટ હોલ્ડર્સને ત્રણ લાખ રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ લિમિટની સુવિધા આપી રહ્યું છે.
જો પગાર ઓછો હશે તો ઓવરડ્રાફ્ટ મુજબ નક્કી કરેલી રકમ જ મળશે
શું છે ઓવરડ્રાફ્ટની સુવિધા
આ રકમ એકાઉન્ટમાં જમા થતા પગાર મુજબ નક્કી થાય છે. કહેવાનો અર્થ છે કે જેટલો ઓછો પગાર છે તો ઓવરડ્રાફ્ટ મુજબ નક્કી કરેલી રકમ જ મળશે. સરળ ભાષામાં સમજીએ તો આ એક પ્રકારની લોન હોય છે. આ સુવિધા હેઠળ તમે તમારા બેંક ખાતામાં પૈસા ના હોવાથી રકમ કાઢી શકો છો. ઓવરડ્રાફ્ટની રકમ બેંક નક્કી કરે છે. જેના વ્યાજ સહિત ચૂકવણી એક નિશ્ચિત મુદ્દતમાં કરવાની હોય છે. આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે બેંકની બ્રાન્ચમાં જઇ અથવા ઓનલાઈન અરજી કરી શકો છો.
સેલેરી એકાઉન્ટ પર પીએનબીની સુવિધા
પંજાબ નેશનલ બેંક પોતાના સેલેરી એકાઉન્ટ હોલ્ડર્સને ચાર કેટેગરી- સિલ્વર, ગોલ્ડ, પ્રીમિયમ, પ્લેટીનમમાં વહેંચ્યા છે. સિલ્વર કેટેગરીવાળા એકાઉન્ટ હોલ્ડરને 50 હજાર રૂપિયા, ગોલ્ડ એકાઉન્ટ હોલ્ડરને 1 લાખ 50 હજાર રૂપિયા, પ્રીમિયમ એકાઉન્ટ હોલ્ડરને 2 લાખ 25 હજાર રૂપિયા અને પ્લેટીનમ એકાઉન્ટ હોલ્ડરને 3 લાખ રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ મુદ્દત મળે છે.
પગાર મુજબ નક્કી થાય છે કેટેગરી
મહત્વનું છે કે, પીએનબીની કેટેગરી પગાર મુજબ નક્કી થાય છે. સિલ્વર કેટેગરીમાં એવા ખાતાધારકોને રાખવામાં આવ્યાં છે, જેનો 10,000 થી 25,000 રૂપિયા સુધીનો પગાર જમા થાય છે. ગોલ્ડ કેટેગરીમાં 25 થી 75 હજાર સુધીનો પગાર, પ્રીમિયમમાં 75 હજારથી 1 લાખ 50 હજાર રૂપિયા સુધીના પગારવાળા ખાતાધારકો, પ્લેટીનમવાળા ખાતાધારક 1 લાખ 50 હજારથી વધુ પગારવાળા ગ્રાહક છે.