23 મે લોકસભા ચૂંટણીની મતગણતરી છે નવી સરકાર બન્યા બાદ ભારતના બેકિંગ સેક્ટરમાં એક મોટો ફેરફાર થઇ શકે છે. નવી સરકાર ત્રણ મહિનાની અંદર જ દેશની ચાર મોટી બેંકનો વિલય કરી શકે છે. ચલો જાણીએ એ કઇ બેંકો છે અને એનાથી તમારી પર શું અસર પડશે.
વાસ્તવમાં નવી સરકાર પંજાબ નેશનલ બેંકમાં ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક અને અલ્હાબાદ બેંકને સામેલ કરી શકે છે. એનાથી આ ચાર બેંકોના ગ્રાહકોને સીધી અસર પડશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેંકોની વિલય પ્રક્રિયા આવતા 3 મહિનામાં પૂરી થઇ જશે. આ પહેલા બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનો વિલય થયો હતો. આ વિલયથી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક અસ્તિત્વમાં આવી હતી. તો બીજી બાજુ ભારતીય સ્ટેટ બેંકમાં પણ પાંચ સહયોગી બેંકોનું મર્જર થઇ ચુક્યું છે.
હવે તમે એવું વિચારી રહ્યા હશો કે જે લોકોના ખાતા અલ્હાબાદ બેંક, ઓબીસી, આંધ્ર બેંક અને પીએનબીમાં છે, એમની પર એ વિલયની શું અસર થશે. જણાવી દઇએ કે એવા ગ્રાહકો પર કોઇ ખાસ અસર પડશે નહીં. આ વિલય બાદ એમને નવી ચેકબુક, પાસબુક વગેરે બનાવવા પડશે અને ગ્રાહકોનું એટીએમ અને પાસબુક નવી રીતે અપડેટ હશે.
આ સાથે જ તમને જણાવી દઇએ કે તમે જો આ બેંકો પાસેથી લોન લઇ રાખી છે તો તમારી ઇએમઆઇ પહેલાની જેમ જારી રહેશે. જો કે સરકારે અત્યાર સુધી આ વિલયની પુષ્ટિ કરી નથી. પરંતુ કેન્દ્ર સરકારનું માનવું છે કે જેટલી ઓછી બેંક હશે, કામકાજ એટલા સારા થશે.