દેશની બીજી સૌથી મોટી સરકાર બેંક પંજાબ નેશનલ બેંક 1 ડિસેમ્બરથી એટીએમમાં કેશ ઉપાડવાના નિયમને લઈને મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પીએનબીના ગ્રાહકોને સારી બેન્ક ફેસિલીટી અને ફ્રોડ એટીએમ ટ્રાન્ઝેક્શનથી બચવા માટે પગલા ભર્યા છે. બેંક વન ટાઈમ પાસવર્ડ આધારિત કેશ વિડ્રોલ સિસ્ટમ શરુ કરવા જઈ રહી છે. આ નવી પ્રણાલી 1 ડિસેમ્બર 2020થી શરુ થશે.
ઓટીપી બેસ્ડ કેશ વિડ્રોઅલ PNB 2.0 ATM માં લાગૂ થશે
બેંકમાં રજિસ્ટર્ડ નંબર પર આવેલો ઓટીપી જણાવવાનો રહેશે
આ નિયમ 10 હજાર રુપિયાથી વધારે કેશ ટ્રાન્જેક્શન પર લાગૂ થશે
આ અંતર્ગત એટીએમમાંથી કેસ ઉપાડવા માટે તમારે બેંકમાં રજિસ્ટર્ડ નંબર પર આવેલો ઓટીપી જણાવવાનો રહેશે. આ નિયમ 10 હજાર રુપિયાથી વધારે કેશ ટ્રાન્જેક્શન પર લાગૂ થશે. બેંકે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.
ગ્રાહકોને પોતાના મોબાઈલને સાથે લઈ જવો પડશે
PNBએ ટ્વીટમાં જણાવ્યાનુંસાર 1 ડિસેમ્બર રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યાની વચ્ચે પીએનબી 2.0 એટીએમથી એકવારમાં 10 હજાર રુપિયાથી વધારે ઉપાડ ઓટીપી બેસ્ડ રહેશે. એટલે કે આ નાઈટ અવર્સમાં 10 હજારથી વધારે ઉપાડ પર પીએનબીના ગ્રાહકોને ઓટીપીની જરુર રહેશે. એટલા માટે ગ્રાહકોને પોતાના મોબાઈલને સાથે લઈ જવો પડશે.
જાણો શું છે પીએમબી 2.0
ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકમાં યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ મર્જ થઈ ચૂક્યા છે. જે 1 એપ્રિલ 2020થી અમલમાં છે. આ બાદ જે એન્ટિટી અસ્તિત્વમાં આવી છે. તેને પીએનબી 2.0 નામ આપવામાં આવ્યું છે. બેંકના ટ્વીટ તથા મેસેજમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઓટીપી બેસ્ડ કેશ વિડ્રોઅલ PNB 2.0 ATM માં લાગૂ થશે. એટલે કે ઓટીપી બેસ્ડ કેશ ઉપાડની સુવિધા પીએનબી ડેબિટ એટીએમ કાર્ડથી અન્ય બેંક એટીએમમાંથી પૈસા કાઢાવા પર લાગૂ નહીં થાય.
કેવી રીતે કામ કરશે સિસ્ટમ
PNB એટીએમમાં પૈસા ઉપાડવા માટે બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલશે
આ ઓટીપી ફક્ત એક જ ટ્રાન્જેક્શન પર કામ કરશે
આ નવી સિસ્ટમથી હાલમાં ચાલી રહેલી કેશ વિડ્રોઅલની પ્રક્રિયામાં અસર નહીં થાય
બેંકનું કહેવું છે કે આનાથી ફ્રોડ કાર્ડથી થનારા અયોગ્ય ટ્રાન્જેક્શનને રોકી શકાશે.