સાર્વજનિક ક્ષેત્રની બેન્કે કહ્યું છે કે 10 લાખ રૂપિયાથી ઓછા બેલેન્સ વાળા બેન્ક ખાતા માટે વ્યાજ દરોને ઘટાડીને 2.70 ટકા વાર્ષિક કરી દીધુ છે.
PNB ગ્રાહકોને મોટો ઝટકો
બે મહિનામાં બીજી વખત વ્યાજદરમાં ઘટાડો
જાણો નવા નિયમો વિશે
સાર્વજનિક ક્ષેત્રના પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. PNBએ પોતાના બચત ખાતા પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. સાર્વજનિક ક્ષેત્રની બેન્કોએ કહ્યું છે કે 10 લાખ રૂપિયાથી ઓછા બેલેન્સ વાળા બેન્ક ખાતા માટે વ્યાજદરોને ઘટાડીને 2.70 ટકા વાર્ષિક કરી દેવામાં આવ્યું છે.
ત્યાં જ 10 લાખ રૂપિયાથી 500 કરોડ રૂપિયાની વચ્ચે બેલેન્સ એમાઉન્ટ વાળા ખાતા માટે વ્યાજદકને ઘટાડીને 2.75 ટકા વાર્ષિક કરી દીધુ છે. નવા રેટ 4 એપ્રિલ, 2022થી લાગુ થઈ રહ્યા છે. PNBએ પોતાની વેબસાઈટ પર એક નોટિસમાં કહ્યું, આ ઘરેલુ અને એનઆરઆઈ બન્ને ખાતાધારકો પર લાગુ હશે.
PNBના આ પગલાથી લાખો ગ્રાહકો પ્રભાવિત થશે. જેમાંથી ઘણા ખાતાની બેલેન્સ એમાઉન્ટની 10 લાખ રૂપિયાની સીમામાં આવે છે. કારણ કે PNB, ભારતીય સ્ટેટ બેન્ક બાદ ભારતની બીજી સાર્વજનિક ક્ષેત્રની બેન્ક છે. તેનો મતબલ છે કે લાખો બેન્ક ગ્રાહકોનું PNBમાં બચત ખાતું છે.
બે મહિનામાં બીજી વખત વ્યાજદરમાં ઘટાડો
બે મહિનામાં આ બીજી વખત છે જ્યારે પીએનબીએ જમાકર્તાઓ માટે બચત ખાતા પર પોતાના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સાર્વજનિક ક્ષેત્રના લેન્ડર્સે પોતાના બચત ખાતા પર દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેમાં 10 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ એમાઉન્ટ વાળા ખાતા માટે વ્યાજદર 2.75 ટકા હતું. ત્યાં જ 10 લાખ રૂપિયાથી 500 કરોડ રૂપિયાથી ઓછી બચત ખાતા માટે વ્યાજદર 2.80 ટકા વાર્ષિક આપવામાં આવી રહ્યું હતું. ભારતીય રિઝર્વ બેન્કની દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમિતિની બેઠકથી અમુક દિવસ પહેલા સાર્વજનિક ક્ષેત્રના લેન્ડર્સ દ્વારા આ બન્ને દરોમાં 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરીમાં, PNBએ એવી પણ જાહેરાત કરી છે કે ખાતાધારકના ખાતામાં જરૂરી બેલેન્સ એમાઉન્ટની કમીના કારણે EMI અથવા કોઈ અન્ય ચુકવણી કરવામાં વિફળ હોવા પર આ 250 રૂપિયાનો દંડ લાગશે. જે પહેલા 100 રૂપિયા હતા.
આટલું જ નહીં, પંજાબ નેશનલ બેન્ક દ્વારા આ વર્ષની શરૂઆતથી મેટ્રો સિટી ક્ષેત્રોમાં ક્વોર્ટર્લી એવરેડ બેલેન્સની સીમામાં 5,000 રૂપિયાનો વધારો કર્યો છે. PNBએ ગ્રામીણ, અર્ધ શહેરી, શહેરી અને મેટ્રો શહેરો સહિત દરેક ક્ષેત્રોમાં પોતાના લોકર ચાર્જીસમાં વધારો કર્યો છે. જ્યારે બેન્ક લોકરોની ફ્રી વિઝિટ લિમિટ પણ ઓછી કરી દીધી છે.
લાગુ થયા આ નિયમ
પંજાબ નેશનલ બેન્કે 4 એપ્રિલ, 2022થી 10 લાખ રૂપિયા અને તેનાથી વધારે ચેક ચુકવણી માટે જરૂરી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી દીધી. આ 18 કરોડથી વધારે ગ્રાહકોને ચેક ફ્રોડથી બચાવશે. નવા નિયમો હેઠળ સંબંધિત ચેક કાપ્યા બાદ બેન્કને સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે. તેનાથી ચેક ઈશૂ કરનારને પેમેન્ટ સમયે છેતરપિંડીથી બચવામાં મદદ મળશે.