PNB કૌભાંડનાં આરોપી નીરવ મોદીની આખરે લંડનમાંથી ધરપકડ કરી લેવાઇ છે. લંડન પોલીસે ભાગેડું નીરવ મોદીની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે નીરવ મોદી સામે લુકઆઉટ નોટીસ પણ જાહેર કરાઇ હતી. નિરવ મોદીને 3:30 કલાકે કોર્ટમાં રજૂ કરાશે. વેસ્ટમિસ્ટર કોર્ટમાં નીરવ મોદીને રજૂ કરાશે. તમને જણાવી દઇએ કે નીરવ મોદીએ 13 હજાર 500 કરોડનું કૌભાંડ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે PNB સાથે રૂ. 13 હજાર 500 કરોડનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થયેલો આરોપી નિરવ મોદી અગાઉ લંડનમાં જોવાં મળ્યો હતો. ફરાર થયાં બાદ પહેલી વાર નિરવ મોદી લંડનમાં જોવાં મળ્યો હતો. જો કે ભારત પરત આવવાનાં મુદ્દે નિરવ મોદીએ મૌન સેવ્યું હતું.
નીરવ મોદીને જ્યારે ભારત પરત આવવાનાં મુદ્દે પૂછવામાં આવ્યું હતું ત્યારે નીરવ મોદીએ ક્હયું કે, સોરી નો કોમેન્ટ. જ્યારે પોતાના રહેઠાણને લઈને નિરવ મોદીને પૂછવામાં આવ્યું તો નિરવ મોદીએ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નહીં અને મૌન સેવ્યું. ઉલ્લેખનીય છે કે, નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 13 હજાર 500 કરોડનું કૌભાંડ આચર્યુ અને બાદમાં વિદેશ ફરાર થઇ ગયો હતો.
મહત્વનું છે કે જ્યારે 13 હજાર 500 કરોડનો કૌભાંડી નિરવ મોદી લંડનમાં દેખાયો હતો પરંતુ નિરવ મોદી લંડનમાં બેખૌફ ફરી રહ્યો હતો. જે રીતે નિરવ મોદી લંડનનાં રસ્તાઓ પર ફરી રહ્યો હતો તે જોતા એવું લાગતું હતું કે, નિરવ મોદીને ભારતીય તપાસ એજન્સીનો કોઇ જ ડર નથી.
13 હજાર 500 કરોડનું કૌભાંડ કરીને ફરાર થયાં બાદ નિરવ મોદી એ વખતે પ્રથમ વખત કેમેરામાં કેદ થયો હતો. જેમાં તેની વધેલી દાઢીમાં તે બેખૌફ દેખાયો હતો. જો કે આખરે હવે તેની લંડન પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ તેને હવે વેસ્ટમિસ્ટર કોર્ટમાં રજૂ કરાશે.