પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 13 હજાર 500 કરોડનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થયેલો આરોપી નિરવ મોદી લંડનમાં જોવા મળ્યો. ફરાર થયા બાદ પહેલી વાર નિરવ મોદી લંડનમાં જોવા મળ્યો છે. જો કે ભારત પરત આવવાના મુદ્દે નિરવ મોદીએ મૌન સેવ્યુ છે.
નિરવ મોદીને જ્યારે ભારત પરત આવવાના મુદ્દે પૂછવામાં આવ્યુ ત્યારે નિરવ મોદીએ ક્હયું કે, સોરી નો કોમેન્ટ. જ્યારે પોતાના રહેઠાણને લઈને નિરવ મોદીને પૂછવામાં આવ્યું તો નિરવ મોદીએ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નહીં અને મૌન સેવ્યું. ઉલ્લેખનીય છે કે, નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 13 હજાર 500 કરોડનું કૌભાંડ આચર્યુ અને બાદમાં વિદેશ ફરાર થયો હતો.
આમ 13 હજાર કરોડનો કૌભાંડી નિરવ મોદી લંડનમાં દેખાયો. જો કે નિરવ મોદી લંડનમાં બેખૌફ ફરી રહ્યો છે. જે રીતે નિરવ મોદી લંડનના રસ્તાઓ પર ફરી રહ્યો છે તે જોતા એ સ્પષ્ટ છે કે, નિરવ મોદીને ભારતીય તપાસ એજન્સીનો કોઇ ડર નથી.
13 હજાર કરોડનું કૌભાંડ કરી ફરાર થયા બાદ નિરવ મોદી આજે પ્રથમ વખત કેમેરામાં કેદ થયો છે. જેમાં તેની વધેલી દાઢીમાં બેખૌફ દેખાયો. જો કે મીડિયા દ્વારા નિરવ મોદીને કેટલાક સવાલ કરવામાં આવ્યાં પરંતુ આ અંગે કોઇ જવાબ ન આપ્યા...માત્ર નો કમેન્ટ બોલતો રહ્યો.