પંજાબ નેશનલ બેંકે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સના રાખવા પર દંડ તરીકે વિત્ત વર્ષ 2018-19 દરમિયાન લગભગ 278.66 કરોડ રૂપિયા વસૂલ્યા. આ રાશિ દેશભરમાં લગભગ 1.27 કરોડ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવી છે.
આ ખુલાસો RTIની મદદથી થયો છે. મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના એક RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે પંજાબ નેશનલ બેંકની પાસેથી એક RTI અરજી કરીને આ અંગેની જાણકારી માંગી હતી કે ગત 2 વિત્ત વર્ષોમાં બચત અને ચાલુ ખાતામાં મિનિમમ બેલેન્સ ના હોવાને કારણે કેટલા ખાતેદારો પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવી.
PNB તરફથી આવેલા જવાબ અનુસાર, નાણાકીય વર્ષ 2018-19માં પંજાબ નેશનલ બેંકએ બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવાને કારણે ખાતેદાર પાસેથી 278.66 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આ રાશિ વિત્ત વર્ષની સરખામણીએ વસૂલવામાં આવેલી રાશિ કરતા 32% વધારે છે.
PNBએ વિત્ત વર્ષ 2018-19 દરમિયાન 1,22,53,756 બચત ખાતાઓમાંથી કુલ 226.36 કરોડ રૂપિયા અને 5,37,692 ચાલુ ખાતામાંથી 52.30 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલ્યો છે.
બેંકે વિત્ત વર્ષ 2017-18 દરમિયાન 1,22,98,748 બચત ખાતાઓમાંથી 151.66 કરોડ રૂપિયા અને 5,94,048 ચાલુ ખાતામાંથી 59 કરોડ રૂપિયા મિનિમમ બેલેન્સ ન હોવાને કારણે ખાતેદારો પાસેથી વસૂલ્યા છે. આમ વર્ષ 2017-19માં બેંકે 1.28 કરોડ ખાતેદારો પાસેથી 210.74 કરોડ રૂપિયાની કમાણી કરી.