ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આદેશ બાદ દેશભરની બેંકો પોતાના ગ્રાહકોને તમામ પ્રકારના ફ્રોડને લઈને ચેતવી રહી છે.
કેટલાક મહિનામાં બેંકિગ ફ્રોડના ઘણા મામલા જોવા મળ્યા
બેંકે ટ્વિટર હેન્ડલ પર અનેક પ્રકારના એલર્ટ્સનો ઉલ્લેખ કર્યો
આ પ્રકારના વિશ્વાસઘાતથી બચવા માટે બેંકે કેટલીક રીતે જણાવી છે
કેટલાક મહિનામાં બેંકિગ ફ્રોડના ઘણા મામલા જોવા મળ્યા
એસબીઆઈ બાદ પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને બેંકિંગ ફ્રોડને લઈને એલર્ટ જારી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક મહિનામાં બેંકિગ ફ્રોડના ઘણા મામલા જોવા મળ્યા છે. તેવામાં બેંક દ્વારા એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આની પહેલા ભારત સરકારે પણ એડવાઈઝરી જારી કરી મોટા સાઈબર એટેકની આશંકા જતાવતા સામાન્ય લોકો અને સંસ્થાઓને ચેતવ્યા હતા.
બેંકે ટ્વિટર હેન્ડલ પર અનેક પ્રકારના એલર્ટ્સનો ઉલ્લેખ કર્યો
પંજાબ નેશનલ બેંકે પોતાના ટ્વિટર હેન્ડલ પર અનેક પ્રકારના એલર્ટ્સનો ઉલ્લેખ કર્યો છે. સાથે એક ટ્વીટ જારી કરી કહ્યું છે કે વિશ્વાસઘાત કરનારી આ દિવસોમાં દરેક જગ્યાએ હાજર છે. સતર્ક રહો અને તેમનાથી બચવાની રીતો જાણો. કોઈ પણ પોઈન્ટ ઓફ સેલ પર પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
આ પ્રકારના વિશ્વાસઘાતથી બચવા માટે બેંકે કેટલીક રીતે જણાવી છે
હંમેશા ધ્યાન રાખો કે પોતાના કાર્ડ ફક્ત પોતાની ઉપસ્થિતિમાં જ સ્વાઈપ થાય
પીન અથવા કોઈ પણ ગુપ્ત જાણકારીને કોઈની સાથે શેર ન કરો
બિલ મળ્યા બાદ હંમેશા પોતાનું ડેબિટ કાર્ડ તપાસો
ખરીદી બાદ બિલ લેવાનું ન ભૂલો
આ પહેલા પણ બેંકે એક અલર્ટ જારી કરી ગ્રાહકોને બનાવટી કોલથી સતર્ક રહેવા માટે કહ્યું હતુ. હકિકતમાં બેંકના કર્મચારીઓ ગણાવીને કેટલાક લોકો નકલી કોલ કરી ગ્રાહકોને ચૂનો લગાવે છે. ફોન પર તે તેમને બેંકના સંબધી ડર બતાવીને તેમની પાસેથી જાણકારી પ્રાપ્ત કરી લે છે અને અચાનક ખાતામાંથી પૈસા ગાયબ કરી લે છે. તેવામાં બેંકે પોતાના ગ્રાહક કોઈના કહ્યામાં ન આવે તે બાબતે એલર્ટ જારી કર્યુ હતુ.