PNB કૌભાંડની મામલે તપાસ કરતા EDએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. EDના ખુલાસા પ્રમાણે નીરવ મોદીએ 17 ટકા બોગસ કંપનીઓનો ઉપયોગ કરીને 2017માં 5921 કરોડ રૂપિયાનું મની લોન્ડ્રિંગને અંજામ આપ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે નીરવ મોદીની ત્રણ કંપનીઓ ડાયમંડ આર યૂએસ સ્ટેલર ડાયમંડ અને સોલર અક્સપોર્ટ્સના નામ પર ફેબ્રુઆરી 2017થી મે 2017ની વચ્ચેના સમય ગાળામાં 150 નકલી LOUના માધ્યમથી 6498 કરોડ રૂપિયા PNB પાસેથી લીધા હતા.
આ તમામ રૂપિયા વિદેશોમાં સ્થિત બેંકોની શાખાઓમાંથી ગયા હતા. જેના અધિકારીઓની હાલમાં જ CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. EDની તપાસ દરમિયાન સામે આવ્યું કે મની લોન્ડ્રિંગને અંજામ આપવા માટે દેશની બહાર 17 શેલ કંપનિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2017માં આ કૌભાંડ કરાયું હતું.