પંજાબ નેશનલ બેઁકના ખાતાધારકો માટે મોટા સમાચાર છે. દેશભરમાં એટીએમ સાથે છેડછાડને રોકવા માટે બેઁકે મોટો નિર્ણય કર્યો છે. જે બાદ પીએનબી ગ્રાહક નોન-ઇવીએમ એટીએમ મશીનથી પૈસા નહી કાઢી શકે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગૂ થઇ જશે. આ વાતની જાણકારી પીએનબીએ ટ્વિટ કરીને આપી છે.
PNBએ છેતરપિંડીથી બચવા કર્યુ કામ
નોન ઇવીએમ એટીએમમાંથી નહી કાઢી શકે પૈસા
PNBone ઍપ દ્વારા યુઝર્સ સેટ કરી શકશે કાર્ડ
To protect our esteemed customers from fraudulent ATM activities, PNB will be restricting transactions(financial & non-financial) from Non-EMV ATM machines from 01.02.2021. Go Digital, Stay Safe!
પંજાબ નેશનલ બેઁકે ટ્વિટ કરીને કહ્યું કે તે પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે નોન ઇવીએમ એટીએમ મશીનમાંથી 1.2.2021થી લેણદેણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે, ગો ડિજીટલ, ગો સેફ.
શું હોય છે Non-EVM ATM?
નોન ઇવીએમ એટીએમ એ વસ્તુ છે જેમાં લેણદેણ દરમિયાન કાર્ડ નથી રાખવામાં આવતું. તેમાં મેગ્નેટિક સ્ટ્રિપ દ્વારા ડેટાને રીડ કરવામાં આવે છે. આ સિવાય ઇવીએમ એટીએમમાં કાર્ડ કેટલીક સેકન્ડ માટે લોક થઇ જાય છે. જેનાથી શાતિર સાયબર એટીએમને ક્લોન પણ નહી કરી શકે.
PNB યુઝર્સને હાલમાં જ મળી છે આ સુવિધા
મહત્વનું છે કે પંજાબ નેશનલ બેઁકે પોતાના યુઝર્સને હાલમાં જ PNBone ઍપ દ્વારા પોતાના યુઝર્સને એટીએમ ડેબિટ કાર્ડને ઓન ઓફ કરવાની સુવિધા આપી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને ગ્રાહક પોતાની જાતે જ કાર્ડને યુઝ કરવા કે ન કરવાનુ નક્કી કરી શકે છે. આવું કરવાથી બેઁક ખાતામાં પૈસા સેફ રહેશે.