રાહુલે કહ્યું, ઘટતી રોજગારી અને આવક, ઉપરથી વધી રહ્યો છે મોંઘવારીનો પ્રહાર
જીએસટી કાયદાના મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રીજીનો ગબ્બર સિંહ ટેક્સ હવે 'ગૃહસ્થી સર્વનાશ ટેક્સ' બની ચૂક્યો છે. રાહુલ ટ્વિટ કરીને કહ્યું કે ગબ્બર સિંહ ટેક્સ હવે બન્યો 'ગૃહસ્થી સર્વનાશ ટેક્સ'. તેમણે આગળ કહ્યું કે ઘટતી રોજગારી અને આવક, ઉપરથી વધી રહ્યો છે મોંઘવારીનો પ્રહાર.
घटती आमदनी और रोज़गार,
ऊपर से महंगाई का बढ़ रहा प्रहार
प्रधानमंत्री जी का ‘गब्बर सिंह टैक्स’ अब ‘गृहस्थी सर्वनाश टैक्स’ का विकराल रूप ले चुका है। pic.twitter.com/9WNqox5fK2
ખાદ્ય પદાર્થો, ભણતર અને હોટલમાં રોકાવાનું મોંઘુ થયું
એક સમાચાર રિપોર્ટને ટાંકતા રાહુલે કહ્યું કે ખાદ્ય પદાર્થો, ભણતર અને હોટલમાં રોકાવાનું મોંઘુ થયું છે.
રાહુલ ગાંધી સતત મોદી સરકારને નિશાન પર લઈ રહ્યાં છે
રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. તેઓ ટ્વિટ કરીને તેમના મનની વાત રજૂ કરી રહ્યાં છે.
નોંધપાત્ર વાત એ છે કે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની બનેલી પેનલે જીએસટીમાંથી મુક્તિની સમીક્ષા કરવાની જીઓએમની ભલામણને સ્વીકારી લીધી છે. આ અંતર્ગત પ્રી પેકેજ્ડ અને લેબલવાળા માંસ, માછલી, દહીં, પનીર, મધ, સૂકા કઠોળ, સૂકા મખાના, ઘઉં અને અન્ય અનાજ, ઘઉંનો લોટ, ગોળ, મમરા (મુરી), તમામ ચીજવસ્તુઓ અને ઓર્ગેનિક ખાતર અને કોઇર પિથ કમ્પોસ્ટને જીએસટીમાંથી છૂટ નહીં મળે અને હવે તેના પર પાંચ ટકા ટેક્સ લાગશે. એ જ રીતે ચેક (લૂઝ કે બુક ફોર્મમાં) આપવા માટે બેન્કો દ્વારા લેવામાં આવતા ચાર્જ પર 18 ટકા જીએસટી લાગશે. એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા જીએસટી લાગશે. અનપેક્ડ, લેબલ વગરનો અને અનબ્રાન્ડેડ સામાન જીએસટીથી મુક્ત રહેશે. વળી, 1000 રૂપિયાથી ઓછી કિંમતની હોટલના રૂમ પર 12 ટકા ટેક્સ લાગશે.