સૌથી અઘરા સવાલનો જવાબ પહેલા લખો તેવી પીએમ મોદીની સલાહની જબરજસ્ત ઠેકડી ઉડતા પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોએ આ ટ્વિટને ડિલિટ કરવી પડી હતી.
પરીક્ષા પે ચર્ચા પ્રોગ્રામમાં પીએમ મોદીની સલાહ બની ચર્ચાનું કેન્દ્ર
સૌથી અઘરા સવાલનો જવાબ પહેલા લખો, તેવી પીએમની સલાહ હતી
પીએમની આ સલાહ લોકોને ગળે ન ઉતરી, સોશિયલ મીડિયા પર ઉડાવી જોરદાર મજાક
પરીક્ષા પે ચર્ચા પ્રોગ્રામમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સૌથી અઘરા સવાલનો જવાબ પહેલા લખવાની સલાહ આપી હતી. પીએમ મોદીનું આ ટ્વિટ વાઈરલ થયા બાદ લોકોએ તેની જોરદાર મજાક ઉડાવી હતી અને તેથી પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો તથા કેટલાક મીડિયા સંસ્થાનોએ પીએમની આ ટ્વિટની ડિલિટ કરવી પડી હતી.
A student should always try to attempt the difficult topic in the beginning and devote more time to it : PM @narendramodi at #PPC2021#ExamWarriors
પરીક્ષા પે ચર્ચા પ્રોગ્રામમાં મોદીએ વિદ્યાર્થીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અઘરા સવાલનો પહેલા ઉકેલ લાવવો જોઈએ. અઘરા સવાલો માટે વધારે સમય આપવો જોઈએ.
લોકોને પીએમ મોદીની આ શીખામણ પરંપરાગત કરતા અજીબ લાગી. કારણ કે સામાન્ય રીતે તો શિક્ષકો અને વાલીઓ બાળકોને આવડતા હોય તેવા સવાલના પહેલા જવાબ લખવાનું કહેતા હોય છે.
@narendramodi doesn’t know that most exams are of 3 hours duration & during those 3 hours, we first attempt all the easy questions & then go for the difficult ones. This is what I did for my school exams as well as my BDS exams & I always did well! I have all my certificates 😊 https://t.co/kxrWno8aDO
કાચુ કપાયાનું ભાન થતા પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો, મન કી બાત હેન્ડલ અને વડાપ્રધાન ઓફિસે મોદીની આ સલાહવાળું ટ્વિટ ડિલિટ કરી નાખવું પડ્યું હતુ. જોકે MyGovIndia પર આ ટ્વિટ હજુ પણ જોવા મળી રહ્યું છે.