દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુને આ બંને વિમાનો હાલ પુરતા આપવામાં આવશે. આવનારા વર્ષે જુલાઈમાં ખાસ રીતે બનાવેલા બે B-777 વિમાનોની વ્યવસ્થા કરવામાં આવશે. આ વિમાનોનું સંચાલન એર ઇન્ડિયા નહીં પણ ભારતીય વાયુસેનાના પાયલટ કરશે. આ વિમાનોને "એર ઇન્ડિયા વન" કહેવાશે.
PM મોદીના નવા વિમાનનું સંચાલન એરફોર્સના પાયલટ કરશે
Air India પાસે રહેશે સારસંભાળની જવાબદારી
B-777 વિમાનો માટે એરફોર્સના 4-6 પાયલટને ટ્રેનિંગ અપાશે
પીએમ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના વિમાનનું સંચાલન જ એરફોર્સના પાયલટ કરશે
Air India is training around 10 IAF pilots for new aircraft Boeing 777 to be used to fly PM&other top Indian dignitaries from July 2020; 2 brand new Boeing 777 aircraft will come in use in July 2020.For the 1st time,Air India pilots won't fly with ‘Air India One’ special aircraft pic.twitter.com/JU44zaGLGq
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુને માટે આવનારા વર્ષના જુલાઈમાં ખાસ રીતે બનાવેલા બે B-777 વિમાનોનું સંચાલન એર ઇન્ડિયા નહીં પણ ભારતીય વાયુસેનાના પાયલટ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે વિમાનોની સંભાળનું કામ એર ઈન્ડિયાના સહયોગી કંપની એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિઝ લિમિટેડના હસ્તે રહેશે.
હાલમાં કયા વિમાનનો ઉપયોગ કરે છે આ ખાસ વ્યક્તિઓ
હાલમાં રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ અને પીએમ નરેન્દ્ર મોદી એર ઈન્ડિયાના વિમાન B-747નો ઉપયોગ કરે છે. આ વિમાનને એર ઇન્ડિયાના પાયલટ ઉડાડે છે અને સાથે તેની સંભાળની જવાબદારી પણ એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિઝ લિમિટેડની રહે છે. જ્યારે B-747 આ ખાસ લોકો માટે કામ નથી કરતા ત્યારે તેને એર ઇન્ડિયાના વાણિજ્યિક સંચાલન માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
B-777 વિમાનોને માટે વાયુસેનાના પાયલટને અપાશે ટ્રેનિંગ
એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'બે નવા B-777 વિમાન આવનારા વર્ષે જુલાઈમાં બોઈંગના અમેરિકી સંયંત્રથી ભારત લાવવામાં આવશે. જેની પર એર ઈન્ડિયા વન લખેલું હશે. ફક્ત વાયુસેનાના પાયલટ જ પીએમ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના વિમાનનું સંચાલન કરશે.' અધિકારીએ જણાવ્યું છે કે B-777 વિમાનોને માટે વાયુસેનાના 4-6 પાયલટને એર ઈન્ડિયા દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. વાયુસેનાના અન્ય પાયલટોને પણ જલ્દી પ્રશિક્ષિત કરવામાં આવશે. નવા વિમાનોનો ઉપયોગ ફક્ત આ 3 ખાસ વ્યક્તિઓ માટે જ કરવામાં આવશે.
ક્યાં બન્યા છે આ સુપર હાઈટેક વિમાનો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુને પ્રવાસ કરવા માટે લેટેસ્ટ ટેકનોલોજીના બે “બોઇંગ ૭૭૭” વિમાનો જૂન ૨૦૨૦ સુધી ફાળવવાની યોજના ચાલી રહી છે. આ હાઈટેક વિમાનો બોઇંગ કંપનીના ડલ્લાસ યુનિટમાં બને છે. નવા વિમાનો સુરક્ષાની દ્રષ્ટિએ USAના રાષ્ટ્રપ્રમુખના એર ફોર્સ વન જેટલા જ સક્ષમ હશે.
શું હશે વિશેષતાઓ?
આ વિમાનો ભારત અને અમેરિકા વચ્ચે રેફ્યુલ કરવા માટે રોકાયા વગર સળંગ સફર કરી શકશે.
આ વિમાનમાં PM મોદીને ચાલુ સફરમાં મીટીંગ કરવા માટે રૂમો અને ઓફીસની જગ્યા અને કોમ્યુનીકેશન સિસ્ટમ આપેલી છે.
સુરક્ષા માટે આ વિમાનમાં એર ફોર્સ જેવો જ Self Protection Suite (SPS) આપેલો છે. આ સુરક્ષા પ્રણાલી લાર્જ ઍરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેઝર્સ, ઈન્ટિગ્રેટેડ ડિફેન્સીવ ઈલેક્ટ્રોનિક વૉરફેર સૂટ અને કાઉન્ટર-મેઝર્સ ડિસ્પેન્સિંગ સિસ્ટમ જેવી ટેકનોલોજીથી સુસજ્જ હશે.
આ ટેકનોલોજી દુશ્મનની રડાર ફ્રિકવન્સીને જામ કરીને વિમાન તરફ તકાયેલી મિસાઈલનો રસ્તો બદલી શકે છે. આ તમામ એક્શન ઓટોમેટીક હશે અર્થાત પાઈલોટને ફક્ત ખતરાની જાણ કરવામાં આવશે બાકીનું કામ સિસ્ટમ પોતે કરી દેશે.
નોંધનીય છે કે આ એડવાન્સ સુરક્ષા પ્રણાલી અમેરિકા દ્વારા વિકસાવામાં આવી છે અને ફેબ્રુઆરી ૨૦૧૯માં અમેરિકાએ જાહેર કર્યું હતું કે તેઓ ભારતને પણ VIP વિમાનો માટે આ સુરક્ષા પ્રણાલી આપશે.