કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદને લઇને સરકારની ફરી આલોચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી ખોટું બોલી રહ્યા છે અને દેશને અંધારામાં રાખી રહ્યા છે. કોંગ્રેસ સાંસદોની એક બેઠકમાં ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષા અથવા સીમાઓને નબળી પાડતી કોઈપણ બાબતોનું સમર્થન કરશે નહીં.
ચીનને લઇને રાહુલના પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર
કહ્યું- પ્રધાનમંત્રી મોદી ખોટું બોલી રહ્યા છે અને દેશને અંધારામાં રાખી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ COVID-19 સંકટને નિવારવા માટે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચેપી વાયરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે મદદની જરૂર પડે ત્યાર સરકારે મોં ફેરવી લીધું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, "પ્રધાનમંત્રી મોદી ચીન વિશે ખોટું બોલતા રહે છે અને કહે છે કે આ રાજકીય મુદ્દો નથી." પરંતુ કોંગ્રેસ એવી પાર્ટીમાં ન હોઈ શકે જે ભારતને નબળું પાડે છે, આપણે અમારું વલણ વળગી રહેવું પડશે. રાષ્ટ્રીય સુરક્ષા અમારી સ્થિતિને સુનિશ્ચિત કરી રહી છે અને સરહદોને નબળી કરી શકાય તેમ નથી. "
રાહુલ વારંવાર પ્રધાનમંત્રી મોદી પર કરી રહ્યા છે પ્રહાર
આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધી દરરોજ એકથી વધુ વખત ટ્વીટ કરતા રહે છે, કારણ કે, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાનમાં થયેલ હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોય શહીદ થયાં હતા. આ સાથે જ તેમણે પહેલા દાવો કર્યો હતો કે, પ્રધાનમંત્રીએ ભારતીય ક્ષેત્રના ચીની આક્રમણની સામે આત્મસમર્પણ કરી દીધું છે.
કોંગ્રેસે ચીની ઘૂસણખોરી મુદ્દે વારંવાર ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસે ચીની ઘૂસણખોરી મુદ્દે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને જ્યારથી પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, ન તો કોઇ આપણા ક્ષેત્રમાં પ્રવશ્યું છે કે ન કોઇએ કબજો મેળવ્યો છે. જો કે, હવે સૈન્ય વાર્તાલાપ બાદ આંતરિક મતભેદ દૂર થયા છે અને બંન્ને રાષ્ટ્રોની સેના લદ્દાખમાંથી પીછેહઠ કરી રહી છે.