વડાપ્રધાન મોદીના ખેડૂતો સાથેના સંવાદ કાર્યક્રમમાં સાબરકાંઠાના ખેડૂત દીક્ષિત પટેલે જણાવ્યું કે, નેચરલ ફાર્મિંગ કરવાથી આવકમાં વૃદ્ધિ થઇ છે.
સાબરકાંઠામાં હિંતમનગર ખાતે PMનો સંવાદ
વડાપ્રધાન મોદીનો ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ
PMએ પ્રાકૃતિક અને નેચરલ ખેતી પર મુક્યો ભાર
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે સાબરકાંઠાના હિમતનગર ખાતે પ્રાકૃતિક તેમજ નેચરલ ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ થયો હતો જેમાં નેચરલ ખેતી કરનારા ખેડૂત સંગઠન સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારત માં ખેતી નું ભાવી ઉજળું છે તેમજ નેચરલ ખેતી થકી ખેતીનો ખર્ચ ઘટવાની સાથે સમૃદ્ધ ખેડૂતનું સ્વપ્ન પણ સાર્થક થઇ શકે તેમ છે.
साबरकांठा के दीक्षित पटेल जी ने बताया कि नेचुरल फार्मिंग करने से किस प्रकार उनके एफपीओ से जुड़े किसानों का न केवल खर्च कम हुआ है, बल्कि उनकी आमदनी में भी वृद्धि हुई है। pic.twitter.com/zcRVMkuvzq
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે યોજેલા ખેડૂતો સાથેના સંવાદ કાર્યક્રમમાં સાબરકાંઠાના ખેડૂત દીક્ષિત પટેલે જણાવ્યું કે, નેચરલ ફાર્મિંગ કરવાથી કયા પ્રકારના FPOથી જોડાયેલા ખેડૂતોનું ન માત્ર ખર્ચ ઓછો થયો છે, પરંતુ તેમની આવકમાં પણ વૃદ્ધિ થઇ છે.
ગુજરાતના ખેડૂતે પૂછ્યું- કેમ છો સાહેબ, તો PMએ કહ્યું- આપણે એવાને એવા
આ વાતચીત પહેલા પ્રધાનમંત્રી રમૂજી મૂડમાં દેખાયા હતા. સંવાદની શરૂઆતમાં ખેડૂતે પૂછ્યું કેમ છો સાહેબ, તો પીએમએ કહ્યું આપણે એવાને એવા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચ્ચે કહ્યું કે હિન્દીમાં કહેવું પડશે હો... ત્યારબાદ સાબરકાંઠાના ખેડૂતે નેચરલ ખેતી અંગે સમજ આપી હતી.
સાબરકાંઠામાં હિંતમનગર ખાતે PMનો સંવાદ
વડાપ્રધાન મોદીએ હિંમતનગર ખાતે ખેડૂતો સાથે સંવાદ યોજ્યો હતો.જેમાં કિસાન નિધિ યોજના અંતર્ગત ઓર્ગોનિક તેમજ નેચરલ ખેતી કરવા પર વડાપ્રધાને ભાર મુક્યો હતો. મહતત્વું છે કે વડાપ્રધાન દ્વારા ખેડૂત સંગઠનો માટે પણ વિશેષ રકમ ફાળવવામાં આવી છે. ત્યારે સાબરકાંઠામાં હિંમતનગર ખાતે આજે PM મોદીએ 600થી વધારે ખેડૂત સંગઠન સાથે વાત કરી હતી. જેમાં ખેડબ્રહ્યાના દીક્ષિત પટેલ દ્વારા ખેતીમાં પરિવર્તનની વાત કરાઈ હતી.
વડાપ્રધાન મોદીનો ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ
જોકે વનવાસી વિસ્તારમાં પ્રાકૃતિક તેમજ નેચરલ ખેતી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાસાયણીક ખેતી તરફ વળેલા ખેડૂતો પણ હવે મિત્રો ખેતી તરફ વળ્યા છે તેમજ હાલમાં ખેડૂતોએ ઓર્ગનિક ખેતી થકી ખેતપેદાશો પણ સાથે લાવ્યા હતા જેના પગલે પ્રધાનમંત્રી દ્વારા વનવાસી વિસ્તારમાં પણ હવે મિત્રો ખેતી તરફ જઈ રહેલા ખેડૂતો નું ઉજ્જવળ ભાવિ ગણાવ્યું છે. સાથે જ વડાપ્રધાન મોદીએ સંગઠન શક્તિ થકી ખેડૂતોના ખર્ચમાં ઘટાડાની સાથે ઉપજમાં વધારો કરવાની વાત પર ભાર મુક્યો હતો. વડાપ્રધાન મોદીએ કરેલી વાતચીતના પગલે ખેડૂત જગતના હાજર રહેલા પ્રતિનિધિઓમાં અને ઉત્સાહ જોવા મળ્યો હતો જેથી આગામી સમયમાં બાકી રહેલા તમામ ખેડૂતો સુધી નેચરલ ખેતી લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.