ઈ-હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ નમામી ગંગે મિશન માટે કરવામાં આવશે. આ ઈ-હરાજીમાં 2700 વસ્તુઓ સામેલ કરવામાં આવી છે.
સાંસ્કૃતિક મંત્રાલયે વડાપ્રધાનને મળેલી ભેટોનું હરાજી કરી રહ્યું છે
નીરજ ચોપડાના ભાલાની કિંમત 1.20 કરોડ સુધી પહોંચી ગઈ
7 ઓક્ટોબર સુધી હરાજી ચાલશે
સાંસ્કૃતિક મંત્રાલયે વડાપ્રધાનને મળેલી ભેટોનું હરાજી કરી રહ્યું છે
સાંસ્કૃતિક મંત્રાલય છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી કરી રહ્યું છે. આ માટે, બિડિંગ આજથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ છે. ટોક્યો ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સના રમતવીરોની ગ્લોબ્સ, રેકેટ અને અન્ય વસ્તુઓ પણ આ ઈ-ઓક્શનમાં સમાવવામાં આવી છે.
હરાજી બોલી 10 કરોડ સુધી પહોંચી
સાંસ્કૃતિક મંત્રાલાય જણાવ્યા અનુસાર ખેલાડીઓના સાધનો પણ લેવામાં આવી આવી રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત ક્વોલિફાય થયેલી ભવાની દેવીની ફેન્સિંગ પેરા ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા કૃષ્ણ નગર અને સિલ્વર મેડલ વિજેતા એલ વાય સુહાસ નું રેકેટ 10-10 કરોડ સુધી પહોંચી ગયું છે.
નીરજ ચોપડાના ભાલાની કિંમત 1.20 કરોડ સુધી પહોંચી ગઈ
બીજી બાજુ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતવા વાળા નીરજ ચોપડાના ભાલાની બોલી પણ 1.20 કરોડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે બોક્સર લવલીનાના બોક્સિંગ ગ્લોબ્સ પણ 1 કરોડ 80 લાખને પાર કરી ગયા છે.સુમિત એન્ટિલના ભાલાની બોલી એક કરોડ અને ખેલાડીઓની ઓટોગ્રાફ ફ્રેમ પણ એક કરોડ સુધી પહોંચી ગઈ છે.
7 ઓક્ટોબર સુધી હરાજી ચાલશે
17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ઈ-હરાજી 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મળેલ ભેટ, સ્મૃતિચિહ્ન, જેકેટ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે હરાજીમાં 2700 થી વધુ વસ્તુઓ સામેલ છે.હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ નમામી ગંગે મિશન માટે કરવામાં આવશે. 2019 માં પણ 2770 વસ્તુઓ સમાન હરાજીમાં સામેલ કરવામાં આવી હતી.