PM-CARES ફંડજ મામલે PMO દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવ્યો છે. જેમા તેમણે જણાવ્યું કે આ ફંડ પર કેન્દ્ર કે રાજ્યોનું નિયંત્રણ નથી સાથેજ આ ફંડ RTI હેઠળ પણ નથી આવતુું
PM-CARES ફંડ મામલે PMOના સેક્રેટરી આપ્યો જવાબ
PM-CARES ફંડ પર કેન્દ્ર કે રાજ્યોનું નિયંત્રણ નથી: PMO
દરેક ખર્ચનો ઓડિટ રિપોર્ટ પણ વેબસાઈટ પર મુકાય છે: PMO
PMO અન્ડર સેક્રેટરીએ આપ્યો જવાબ
PMOના અન્ડર સેક્રેટરી પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે દિલ્હી હાઈકોર્ટને PM-CARES ફંડ વીશે માહિતી આપતા કહ્યું કે, PM CARES ફંડને માહિતીના અધિકારાના દાયરામાં લાવી નથી શકાતું સાથેજ તેને રાજ્ય તરીકે પણ જાહેર ન કરી શકાય.
હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ હતી
હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી મુજબ PM-CARES ફંડને સંવિધાનના અમુચ્છેદ 12 પ્રમાણે રાજ્ય ઘોષિત કરવાની માગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશના નાગરિકો એ વાતથી અજાણ છે કે પ્રધાનમંત્રી દ્વારા એક ફંડ બનાવામાં આવ્યું છે. જેમા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને નાણા મંત્રીએ સાથે મળીને આ ફંડ બનાવ્યું છે. જેના પર કોઈ સરકારી નિયંત્રણ નથી.
ટ્રસ્ટ માનવ અધિકાર પર કામ કરે છે: PMO
સમગ્ર મામલે PMO સેક્રેટરી દ્વારા કહેવામાં આ્યું કે આ ટ્રસ્ટ માનવ અધિકાર પર કામ કરે છે. સાથેજ પારદર્શિતા પ્રમાણે કામ કરવામાં આવે છે. ફંડનું ઓડિટ પણ ઓડિટર દ્વારા કરવામાં આવતું હોય છે. સાથેજ કહ્યું કે દરેક હિસાબોનો રિપોર્ટ પણ વેબસાઈટ પર મુકવામાં આવતો હોય છે.
ફંડનો રિપોર્ટ વેબસાઈટ પર મુકવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે PMO અન્ડર સેક્રેટરી દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટને મળનારી બધી રકમ ઓનલાઈન પેમેન્ટ, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા મળે છે. જેને લઈને તેનું ઓડિટ કરવામાં આવતું હોય છે. સાથેજ જે પણ ફંડનો ઉપયોગ કરવામાં આવે તેને વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવતું હોય છે.