વાવાઝોડુ 'બુલબુલ' આવનારા 6 કલાકમાં મોટુ સ્વરૂપ લઇ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઓરિસ્સા અને પ.બંગાળમાં તટીય ક્ષેત્રો પર તેનો પ્રભાવ દેખાઇ શકે તેવી આશંકા છે. બંને રાજ્યોમાં રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ ( NDRF) ની ટીમે મોકલવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલામાં ચિંતા વ્યક્ત કરી છે.
વાવાઝોડુ 'બુલબુલ' આવનારા 6 કલાકમાં મોટુ સ્વરૂપ લઇ શકે છે
ઓરિસ્સા અને પ.બંગાળમાં તટીય ક્ષેત્રો પર બુલબુલનો પ્રભાવ દેખાઇ શકે તેવી આશંકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલામાં ચિંતા વ્યક્ત કરી
પીએમના પ્રમુખ સચિવ ડૉ. પીકે મિશ્રાએ ઓરિસ્સા, પ.બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ આંદમાન-નિકોબાર દ્વીપ સમૂહના મુખ્ય સચિવોની સાથે બેઠક કરી. જેમા પ્રાકૃત્તિક સંકટનો સામનો કરવા શું તૈયારીઓ કરવામાં આવી છે. તેના પર સમીક્ષા કરવામાં આવી.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર એક નિવેદન અનુસાર, આ બેઠકમાં બુલબુલ વાવાઝોડાના થોડાક કલાકોની અસરની સમીક્ષા કરવામાં આવી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલે બુલબુલ વાવાઝોડાની વિસ્તૃત જાણકારી આપી. એમણે બતાવ્યું કે વાવાઝોડા બુલબુલના પ્રભાવ ક્ષેત્રમાં હવાની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી અને જ્યારે કેન્દ્રમાં તેની ગતિ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. અહીં ભારે વરસાદ પણ થઇ શકે છે.
આ પહેલા હવામાન વિભાગના ક્ષેત્રીય ડાયરેક્ટર જી કે દાસે કહ્યું હતું, વાવાઝોડા બુલબુલ કોલકત્તાથી 930 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વ છે અને ગુરુવારે રાત્રે તેના મજબુત થવાની સંભાવના છે. શનિવારે તે વધુ તાકાતવર બનીને ગંભીર શ્રેણીમાં પહોંચી જશે. જેથી સમુદ્રમાં સ્થિતિ પ્રતિકુળ બની શકે છે. તેને ધ્યાનમાં લઇને માછીમારોને ગુરુવારે સાંજ સુધી કિનારા પર પરત ફરવા અને નવા આદેશ મળવા સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઇ છે.