PM મોદીએ થોડા દિવસ પહેલા જ લીધેલા એક નિર્ણયનાં દસ્તાવેજ તેમનું જ કાર્યાલય સાર્વજનિક કરવા તૈયાર નથી.
ખેલ રત્નનું નામ બદલવાનો મામલો
મોદી સરકારે RTIના જવાબમાં આપ્યો ગજબનો જવાબ
કહ્યું આ નિર્ણય 'સૂચના'નાં દાયરામાંથી બહાર
RTI અને પત્રકાર પરિષદથી કેમ ભાગે છે મોદી સરકાર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઘણા બધા પત્રકારો અને રાજનેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવે છે કે પ્રધાનમંત્રી મોદી પત્રકાર પરિષદ કરતાં નથી. સાથે સાથે RTIને લઈને મોદી સરકાર પર બીજો ગંભીર આરોપ વાંરવાર લાગતો આવ્યો છે. મોદી સરકાર પર જે નિર્ણય પર જાણકારી ન આપવાનો આરોપ લગાવવામાં આવે છે ત્યારે તાજા મામલો સામે આવ્યો છે ખેલ રત્નને લઈને. PM મોદીએ ખેલ રત્નનું નામ બદલાવા માટે જોરશોરથી જાહેરાત કરી અને તે બાદ ભાજપ નેતાઓ દ્વારા આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો, પરંતુ આ નિર્ણયનાં દસ્તાવેજ, રેકોર્ડ્સ કે આવેદનપત્રોને સાર્વજનિક કરવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય તૈયાર નથી.
શું છે સમગ્ર મામલો?
ટોક્યોમાં હાલમાં જ ઑલિમ્પિક્સની રમતો સંપૂર્ણ થઈ છે જેમાં ભારતનાં તેજસ્વી યુવાનો અને યુવતીઓએ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. ટોક્યોની રમતોમાં સૌથી વધારે ચર્ચા આ વખતે થઈ હૉકીની, સાથે સાથે હૉકીનાં જાદુગરનાં ગણાતા મેજર ધ્યાનચંદની. મહિલા અને પુરુષ ટીમે જોરદાર પ્રદર્શન તો કર્યું જ પણ સાથે સાથે ભારત સરકારે મોટો નિર્ણય લેતા રાજીવ ગાંધી ખેલ રત્નમાંથી રાજીવ ગાંધીનું નામ કાઢીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન રાખવામાં આવ્યું.
I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views.
Respecting their sentiment, the Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award!
PM મોદીએ કર્યો હતો દાવો : લોકોએ મને આ નિર્ણય માટે કરી હતી રિક્વેસ્ટ
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને આ મુદ્દે જાહેરાત કરી જે બાદ ભાજપનાં નેતાઓએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો, જોકે મોદી વિરોધી પાર્ટીઓએ નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો.
આ નિર્ણયની જાણકારી 'સૂચના'ના દાયરામાં આવતી જ નથી : PMO
મોદી સરકારે નિર્ણય તો લઈ લીધો પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલય આ નિણર્યનાં દસ્તાવેજને સાર્વજનિક કરવાનો ઇનકાર કરી રહ્યું છે. ખેલ રત્નનાં નામ બદલવા પર માંગવામાં આવેલ RTIનાં જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું કે માંગવામાં આવેલ જાણકારી સૂચનાની પરિભાષામાંથી જ બહાર છે તેથી તેનો કોઈ જવાબ આપવામાં આવશે નહીં.
પાછો આરોપ પણ લગાવી દીધો
આટલું જ નહીં પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આવેદનકર્તા પર આરોપ લગાવવામાં આવ્યો કે તે આ પ્રકારની જાણકારી માંગી છે કઈંક તપાસવાના પ્રયાસો કરી રહ્યા છે.
RTIમાં શું માંગવામાં આવ્યું?
નોંધનીય છે કે જ્યારે વડાપ્રધાન મોદીએ ખેલ રત્નનું નામ બદલ્યું ત્યારે જણાવ્યું હતું કે દેશનાં ઘણા બધા લોકોએ એવી માંગ કરી હતી કે ખેલ રત્નનાં નામ બદલવું જોઈએ અને તેથી જ તેમણે આ નિર્ણય કર્યો છે. જે બાદ પત્રકાર અને RTI એક્ટિવસ્ટ ધીરજ મિશ્રા RTI આવેદન દાખલ કરી અને પૂછ્યું કે ઍવોર્ડનું નામ બદલવા માટે સરકારને કેટલા આવેદન આવ્યા છે? આ સિવાય ઍવોર્ડનાં નામ બદલવાને લઈને નિર્ણય સંબંધિત તમામ દસ્તાવેજનો રેકોર્ડ પણ RTIમાં માંગવામાં આવ્યો હતો.
PM કાર્યાલયનો 'તર્ક' તો જુઓ!
જોકે આ RTIના જવાબમાં કેન્દ્રીય જનસૂચના અધિકારી અને અવર સચિવ બિનોદ બિહારી સિંહે જાણકારી આપવાની ઘસીને ના પાડી દીધી. આટલું જ નહીં તેમણે કહ્યું કે આ જાણકારીઓ RTI એક્ટ હેઠળ સૂચનાની પરિભાષાથી બહાર છે.
શું કહે છે કાયદો
એક તરફ જ્યાં પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જાણકારી 'સૂચના'ની પરિભાષામાં આવતું નથી ત્યાં RTI એક્ટ 2(ફ)માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ જાણકારી જે રેકોર્ડ, દસ્તાવેજ, મેમો, ઈમેલ, સલાહ, પ્રેસ રિલીઝ, સર્ક્યુલર, લૉગબુક, કૉન્ટ્રેક્ટ, પેપર્સ, સેમ્પલ્સ, ઈલેક્ટ્રોનિક ડેટા હોય તો તે 'સૂચના'ની પરિભાષામાં આવે છે.
કોના દબાણમાં કામ કરી રહ્યા છે કાર્યાલયનાં અધિકારીઓ?
ઘણા બધા RTI એક્ટિવિસ્ટ મોદી સરકાર પર આરોપ લગાવતા રહે છે કે તેમને જાણકારી આપવામાં આવતી નથી. આ વખતે પણ જ્યાં પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા માંગવામાં આવેલ જાણકારીને જ સૂચનાનાં દાયરાથી બહાર ગણાવી છે ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું પ્રધાનમંત્રી કાર્યાલયનાં અધિકારીઓ પર આ પ્રકારની જાણકારીને લઈને કોઈ પ્રકારનું દબાણ છે?