ઉત્તરાખંડનાં જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલનને લઈને કેન્દ્ર સરકારનો હાઈ એલર્ટ આવ્યો છે. આજે PM મોદીનાં પ્રધાન સચિવ ડૉ. પી. કે મિશ્રાની અધ્યક્ષતામાં PMOની બેઠક થશે.
જોશીમઠમાં ભૂલ્ખલનથી લોકો અને તંત્ર પરેશાન
પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકારનો હાઈ એલર્ટ
ડૉ. પી. કે મિશ્રાની અધ્યક્ષતામાં PMOની બેઠક થશે
ઉત્તરાખંડમાં જોશીમઠનાં ભૂસ્ખલનની વાત PMOનાં કાને પડી છે. રવિવારે પ્રધાનમંત્રી મોદીનાં પ્રધાનસચિવ ડૉ. પી.કે. મિશ્રાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તકીય બેઠક થવા જઈ રહી છે. તેમાં PMOમાં કેબિનેટ સચિવ અને ભારત સરકારનાં ઘણાં વરિષ્ઠ નેતાઓ શામેલ થશે. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં સદસ્યો પણ સ્થિતિની સમીક્ષા કરશે. માહિતી અનુસાર જોશીમઠ જિલ્લાનાં પદાધિકારી અને ઉત્તરાખંડ સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં વીડિયો કોન્ફેરેન્સિંગનાં માધ્યમથી જોડાશે.
PM મોદીએ કર્યો CM ધામીને ફોન
જોશીમઠનાં સંકટને ધ્યાનમાં લેતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને ફોન કરીને સ્થિતિની જાણકારી મેળવી હતી. તેમણે ધામીને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર જોશીમઠને બચાવવા દરેક શક્ય પ્રયાસો કરશો.
Uttarakhand | PM Modi had a telephonic conversation with me asking about the situation in Joshimath & steps taken for the rehabilitation & safety of people. He assured all possible help to save Joshimath: CM Pushkar Singh Dhami pic.twitter.com/eRN3xRAAhO
જોશીમઠ હિન્દુઓ માટે અતિ પવિત્ર સ્થળ
જોશીમઠ હિન્દુઓ માટે એક પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. અહીં બદ્રીનાથનું મંદિર આવેલું છે. કેટલાક દિવસોથી અહીં લોતોનાં મકાનો અને રોડ રસ્તા પર તિરાડો જોવા મળી રહી છે જે સતત વધી રહી છે. તો મારવાડી વિસ્તારમાં તો જમીનમાંથી પાણીની ધારો પણ વહી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જોશીમઠ શહેર ધસાઈ રહ્યું છે અને આ તમામ વાતો એક મોટી સમસ્યાનો સંકેત આપી રહ્યું છે. તેવામાં લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે.
વિશેષકોની પેનલે રિપોર્ટ સોંપ્યો
ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં વિશેષકોની એક પેનલ બનાવીને જોશીમઠ મોકલવામાં આવ્યાં હતાં જેણે રાજ્ય સરકારને પોતાની રિપોર્ટ સોંપી દીધેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંકટગ્રસ્ત આ ઘરોને તોડી દેવા જોઈએ અને અહીં રહેનારા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવા જોઈએ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ જોશીમઠનું નિરીક્ષણ કરવા પહોંચ્યાં હતાં.
જોશીમઠ પર કુદરતનો કહેર
ઉત્તરાખંડનાં ચમોલીનો જોશીમઠ બદ્રીનાથનો દ્વાર માનવામાં આવે છે. જોશીમઠમાં જમીન ધસવાની અનેક ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહી છે. જમીનમાં ભૂકંપ જેવી સ્થિતી જણાતા હજારો સ્થાનિકો પરિવાર સહિત જોશીમઠ છોડી પલાયન પણ કરી રહ્યાં છે. ડિસેમ્બર મહિનામાં કેટલાય ઘરોની દિવાલો પર તિરાડો જોવા મળી છે તો રસ્તાઓનાં 2 હિસ્સા થઈ ચૂક્યાં છે.ગયાં વર્ષે વરસાદ ન પડવા છતાં જમીનો ધસાઈ રહી છે અને મકાનો જમીનમાં સમાઇ રહ્યાં છે. ડિસેમ્બર મહિનામાં એક રિપોર્ટ અનુસાર આશકે 561 મકાન તેનાથી પ્રભાવિત થયાં છે જેમાં 3 હજાર લોકો નિવાસ કરે છે.