પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં 15 ટકા અધિકારીઓની છટણી કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારણા પર ભાર મુકવામાં આવ્યો છે.
PMO કાર્યાલયમાં 15 ટકા અધિકારીઓની કપાત
કર્મચારીઓની ઉત્પાદકતા સુધારણા પર ભાર
મળતી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો પર્સનલ સ્ટાફ અડધો કરી નાખ્યો છે. જે PMOમાં જે લોકો હતા તેમને 15 ટકા ઘટાડી દેવામાં છે. પીએમ મોદીનો 50નો સ્ટાફ હતો તેને અડધો કરી નાખ્યો છે. જેમાં નાના-નાના અને ડે-ટુ-ડેના કામમાં લાગેલા કેટલાક સ્ટાફને ઘટાડવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, નરેન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી બનીને આવતા તેમણે આ નિર્ણય લીધો છે. પીએમ બન્યા બાદ પણ નરેન્દ્ર મોદીએ પ્રથમ બેઠકમાં જ મંત્રીઓને પોતાનો ખર્ચ ઘટાડવા માટે કહ્યું હતું. પોતાની વિદેશયાત્રા દરમિયાન પણ લઇ જવામાં આવતા સ્ટાફમાં ઘટાડો કર્યો હતો. વિદેશથી આવતા નાના અધિકારીઓને સરકારી જગ્યાઓ પર જ રાખવા અંગે જણાવ્યું હતું. તો બીજી તરફ વિપક્ષ નોકરી છીનવવાના આક્ષેપ પણ લગાવી શકે છે.