પસંદીદા અધિકારીઓ સાથે જ કામ કરનાર PM મોદીના વધુ ત્રણ ખાસ ત્રણ ઉચ્ચ અધિકારીઓની જવાબદારી અંગે PMOએ સ્પષ્ટતા સાથે આદેશ કર્યા છે. હાલમાં જ PM મોદીએ પી કે મિશ્રા (PK Mishra)ને પ્રધાન સચિવ અને પી કે સિન્હાને (PK Sinha) પ્રધાન સલાહકાર નિયુક્ત કર્યા છે. હવે વડાપ્રધાન કાર્યાલયે (PMO) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, પીકે મિશ્રા અને પીકે સિન્હાના કાર્યક્ષેત્રો અને જવાબદારીઓની સ્પષ્ટતા કરી છે. અજીત ડોભાલ અને પીકે મિશ્રાને કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે.
અજિત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા અને તમામ નીતિગત મામલા સંભાળશે
પી કે મિશ્રાએ પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર કુમાર મિશ્રાની જગ્યા લીધી છે
પી કે સિન્હા પ્રમુખ સચિવ અને NSAને ફાળવામાં આવેલા વિશેષ મામલાની દેખરેખ રાખશે
અજિત ડોભાલ હવે આ જવાબદારી સંભાળશે
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે અજિત ડોભાલ નિયુક્તિઓને છોડીને રાષ્ટ્રીય સુરક્ષા અને નીતિગત મામલા સાથે જોડાયેલા તમામ વિષયો સંભાળશે. ડોભાલ વિદેશ મંત્રાલય, પ્રવાસી ભારતીય મામલાના મંત્રાલય, રક્ષા મંત્રાલય, અંતરિક્ષ, પરમાણું ઉર્જા અને ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) સાથે જોડાયેલા વિષયો સંભાળશે. આ સાથે જ તેમને 'નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ' (NSCN) ના અલગાવવાદીઓ સાથે વાર્તાલાપની પણ જવાબદારી સોંપવામાં આવી છે.
પી કે મિશ્રા સંભાળશે આ જવાબદારી
પ્રધાન સચિવ પી કે મિશ્રા નીતિગત મુદ્દા અને કર્મચારી, કાનૂન મંત્રાલય અને કેબિનેટની નિયુક્તિ સમિતિ અને અન્ય નિયુક્તિઓ સાથે સંબંધિત મામલાઓ સંભાળશે. પી કે મિશ્રા કેબિનેટ સચિવાલયથી સંબંધિત મુદ્દા, બેઠકની વિષય સૂચી, ભ્રષ્ટાચાર વિરોધી એકમ, પીએમઓની સંસ્થાઓ અને નીતિગત મુદ્દા સંભાળશે.
પી કે સિન્હા સંભાળશે આ જવાબદારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સલાહકાર પી કે સિન્હા તમામ વિભાગો, મંત્રાલયો, એજન્સીઓ અને એકમો સાથે સંબધિત નીતિગત મુદ્દાઓ સંભાળશે. તેમણે એ મામલાઓની પણ દેખરેખ કરશે જેને વિશેષ રૂપે પ્રમુખ સચિવ અને એનએસએને ફાળવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, 11 સપ્ટેમ્બરે જ પૂર્વ કેબિનેટ સચિવ પી કે સિન્હાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રમુખ સલાહકાર નિયુક્ત કરાયા છે. જ્યારે પ્રમોદ કુમાર મિશ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા પ્રધાન સચિવ નિયુક્ત કરાયા છે. પ્રમોદ કુમાર મિશ્રાએ પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર કુમાર મિશ્રાની જગ્યા લીધી છે. હાલમાં જ નૃપેન્દ્ર મિશ્રાએ પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું. બુધવારે એક સરકારી આદેશમાં આ જાણકારી આપવામાં આવી. પીકે સિન્હાને ગત મહીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી નિયુક્ત કરાયા હતા.