મની લોન્ડ્રરીંગ મામલે પૂછપરછ માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ આજે ફરી ઇડી ઓફીસે પહોંચ્યા છે. આ અગાઉ ગઇકાલે (સોમવારે) ઇડીએ પ્રફુલ્લ પટેલની અંદાજે આઠ કલાક સુધી પુછપરછ કરી હતી. એર ઇન્ડિયામાં થયેલા કથિત કરોડોના કૌભાંડ મામલે પ્રફુલ્લ પટેલની પુછપરછ કરવામાં આવી રહી છે.
આ મામલે ધરપકડ કરાયેલા દીપક તલવારે તપાસ એજન્સીને ઘણા પુરાવા આપ્યા હતા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલ સોમવારે અંદાજે 11 વાગે ઇડી ઓફિસ પોતાના વકીલ સાથે પહોંચ્યા હતા. પ્રફુલ્લ પટેલ સાથે મની લોન્ડરીંગ મામલે દિવસભર પૂછપરછ કરવામાં આવી અને તેમનું નિવેદન લેવામાં આવ્યું.
ઇડીએ દિપક તલવાર વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરવાની રજૂઆત કરી હતી. આ બીજી વખત છે જ્યારે પ્રફુલ્લ પટેલ આ મામલે ઇડી સમક્ષ હાજર થયાં છે. ઇડી પહેલાં પણ એર ઇન્ડિયાના ઘણા અધિકારીઓની પુછપરછ કરી ચૂક્યું છે અને તત્કાલિન નાગરિક ઉડ્ડયન સચિવ સહિત અન્ય લોકોના નિવેદન લીધા છે.
Delhi: Former Civil Aviation Minister Praful Patel arrives at the Enforcement Directorate (ED) office for questioning by the agency, in connection with multi crore airline seat sharing scam. pic.twitter.com/gWvrLi8IHr
એવિએશન કૌભાંડ મામલે પૂર્વ ઉડ્ડયન મંત્રી અને NCPના નેતા પ્રફુલ્લ પટેલની ઈડીએ પૂછપરછ હાથ ધરી છે. ઈડીએ ગઇકાલે પણ પ્રફુલ્લ પટેલની મની લોન્ડરીંગ મામલે પૂછપરછ કરી હતી. ઇડી દ્વારા આ પૂછપરછ બાદ તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. જ્યારે ઈડીએ દીપક તલવાર વિરૂદ્ધ ચાર્જશીટ પણ રજૂ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દીપક તલવાર પ્રફુલ્લ પટેલના નજીકના છે અને પ્રફુલ્લ પટેલ દ્વારા જ દીપક તલવારે એર ઈન્ડિયાનના ફાયદાકારક રૂટને પ્રાઈવેટ એરલાઈન્સને અપવવામાં મદદ કરી હતી.
જેનાથી એર ઈન્ડિયાને ખૂબ જ નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઇને તલવારને મોટુ કમિશન મળ્યું હતુ. ઈડીનો દાવો છે કે તેમની પાસે કેટલાક ઈમેલ છે કે જેમાં પ્રફુલ્લ પટેલ અને દીપક તલવાર વચ્ચેના સંવાદો પણ છે. ઈડી મુજબ વિદેશી એરલાઈન્સ અને એરક્રાફ્ટ બનાવતી કંપનીને ફાયદો પહોંચાડવા માટે પોલીસીમાં બદલાવ કર્યો હતો. 43 એરક્રાફ્ટ ખરીદવામાં એરબસના અસલી પ્લાનમાં બદલાવ કર્યો હતો. એરબસે આના માટે એક હજાર કરોડમાં મેઈન્ટેનન્સ સર્વિસ સેન્ટર બનાવવા માટે રજૂઆત કરી હતી.