જો તમે PM Jan Dhan Account ખોલાવ્યું નથી તો તમે આજે જ આ કામ કરી લો. સરળ ડોક્યુમેન્ટથી એકાઉન્ટ ખોલાવીને તમે 1.30 લાખ રૂપિયાનો લાભ મેળવી શકો છો.
PM Jan Dhan Accountમાં મળી રહ્યો છે મોટો લાભ
આ ડોક્યુમેન્ટસથી ખોલાવી લો ફટાફટ તમારું એકાઉન્ટ
આ સંજોગોમાં એકાઉન્ટ હોલ્ડરને મળે છે 1.30 લાખ રૂપિયાનો લાભ
PM Jan Dhan Account એક એવી યોજના છે જેના આધારે ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીય કૃત બેંકોમાં ખોલાય છે. આ સરકારની તરફથી સરૂ કરાયેલા ખાસ પ્રોગ્રામમાંનો એક છે. આ યોજનાના આધારે ગરીબ વ્યક્તિ પોતાના બેંક ખાતાને સરળતાથી ખોલાવી શકે છે. આ યોજનાના આધારે અનેક નાણાંકીય લાભ મળે છે. તો જાણો શું છે આ યોજના.
મળશે 1.30 લાખ રૂપિયા
PMJDYના આધારે ખોલવામાં આવેલા એકાઉન્ટમાં એકાઉન્ટ હોલ્ડરને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. આ સિવાય તેમાં દુર્ઘટના વીમો પણ સામેલ હોય છે. એકાઉન્ટ હોલ્ડરને 1,00,000 રૂપિયાનો દુર્ઘટના વીમો અને સાથે 30,000 રૂપિયાનો જનરલ ઈન્શોયરન્સ મળે છે. જો ખાતા ધારક સાથે કોઈ દુર્ઘટના થાય છે તો 30,000 રૂપિયા મળે છે. આ સિવાય કોઈ અકસ્માતમાં એકાઉન્ટ હોલ્ડરનું મોત થાય છે તો તેના પરિવારને 1 લાખ રૂપિયા મળે છે.
આ રીતે થાય છે 1.30 લાખ રૂપિયાનું નુકસાન પણ, કરી લો આ જરૂરી કામ
તમને જણાવી દઈએ કે ગ્રાહકોના રૂપે ડેબિટ કાર્ડ આ ખાતામાં આપવામાં આવે છે. જેમાં 1 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમામો મળે છે. જો તમારું ખાતું આધાર સાથે લિંક નહીં કરાવો તો તમને આ લાભ મળશે નહીં. એટલે કે સીધું તમારા ખાતાને 1 લાખ રૂપિયાનું નુકસાન થશે. આ સિવાય આ ખાતા પર તમને 30000 રૂપિયાનો એક્સીડેન્ટલ ડેથ ઈન્શ્યોરન્સ કવર પણ આ બેંક ખાતાને આધાર સાથે લિંક કરવા માટે મળે છે. તો તમે આ બંને લાભ મળીને કુલ 1.30 લાખ રૂપિયાનુ નુકસાન અટકાવવા ઈચ્છો છો તો તમારા જન ધન ખાતાને આધાર સાથે લિંક કરી લો તે જરૂરી છે.
શું છે જન ધન ખાતું
પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) સરકારની સૌથી મહાત્વાકાંક્ષી યોજના છે. તેના આધારે દેશના ગરીબોને ઝીરો બેલેન્સ પર એકાઉન્ટ, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીય કૃત બેંકમાં ખાતું ખોલવામાં આવે છે. આ ખાતું કોઈ પણ બેંક શાખા અથવા વ્યવસાય પ્રતિનિધિ આઉટલેટમાં ખોલી શકાય છે.
કેવી રીતે ખોલાવશો નવું ખાતુ
જો તમે તમારું નવું જન ધન ખાતું ખોલાવવા ઈચ્છો છો તો નજીકની બેંકમાં જઈને આ કામ સરળતાથી કરી શકો ચો. આ માટે બેંકમાં તમારે એક ફોર્મ ભરવાનું રહે છે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય અને વાર્ષિક આવક, આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ કે વોર્ડ નંબર, વિલેજ કોડ કે ટાઉન કોડની જાણકારી આપવાની રહે છે.
મિસ્ડ કોલથી આ રીતે ચેક કરો બેલેન્સ
જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જન ધન ખાતું ખોલાવ્યું છે તો તમે મિસ્ડ કોલની મદદથી જીરો બેલેન્સ જાણી શકો છો. તેને માટે તમારે 18004253800 કે પછી 1800112211 નંબર પર મિસ્ડ કોલ આપવાનો રહે છે. ધ્યાન રહે ગ્રાહકોએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી આ મિસ્ડ કોલ કરવાનો છે.
આ ડોક્યૂમેન્ટ્સની મદદથી ખોલાવી શકશો ખાતુ
આધાર કાર્ડ કે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, વોટર કાર્ડ, NREGA જોબ કાર્ડ, ઓથરિટિનો લેટર જેમાં નામ, સરનામુ અને આધાર નંબર લખેલો હોય. ગેઝેટેડ ઓફિસરની તરફથી જાહેર કરાયેલો લેટર જરૂરી છે.